ઘરમાં કિચનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીંતર માં લખમી નારાજ થઈ જાય છે. જાણો એવી કઈ ભૂલો છે જેને આપણે ટાળવી જોઈએ.
કિચન છે મંદિર બાદ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ
કિચન હંમેશા સાફ રાખવું જોઈએ
કિચનમા ક્યારેય મંદિર ન બનાવવું જોઈએ
કિચનનું આપણા ઘર અને જીવનમાં સૌથી અગત્યનું સ્થાન હોય છે. ત્યાં જ માં અન્નપૂર્ણાનો નિવાસ થાય છે, જએમની કૃપયાથી આપણા સૌનું પેટ ભરાય છે. કિચનની સાર સંભાળ કરવા માટે અને તેમાં પ્રવેશ કરવા માટે વાસ્તુ શાસ્ત્રમાં ઘણા જરૂરી નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું આપણે સૌએ પાલન કરવું જોઈએ. માનવામાં આવે છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર ઘર કંગાળ બની જાય છે અને રસોઈનાં ભંડાર ખાલી થઈ જાય છે.
કિચનમાં ન કરો ભોજન
કિચન સાથે જોડાયેલ વાસ્તુ શાસ્ત્રનો પહેલો નિયમ છે કે ભૂલીને પણ ક્યારેય કિચનમા ભોજન ન કરવું જોઈએ. માનવામાં આવે છે કે જો કોઈ મહિલા અથવા પરિવારનાં બીજા લોકો થાળીમા ભોજન લીધા બાદ કિચનમાં જ જમવા બેસી જાય છે, તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે, જેથી પરિવારમા દરિદ્રતા આવવા લાગે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
ચપ્પલ પહેરીને ન કરો પ્રવેશ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કિચન મંદિર બાદ ઘરનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે. અહીં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે. બીજું મહત્વનું કારણ એ છે કે ચપ્પલ પહેરીને જવાથી તમારા ભોજન અન પાણીમા વાયરસનું સંક્રમણ થાય છે. એટલા માટે કિચનમા ક્યારેય પણ ચપ્પલ પહેરીને ન પ્રવેશવું જોઈએ.
એઠા વાસણો ન છોડવા
જમ્યા બાદ ક્યારેય પણ કિચનમા વાસણોને એઠાં ન છોડવા જોઈએ. આમ કરવાથી માં અન્નપૂર્ણાનું અપમાન થાય છે. એટલા માટે જ્યારે પણ તમે સૌ ભોજન કરી લો, કિચનમા રાખેલા એઠાં વાસણોને ધોઈ લો. ખાસકરીને રાત્રે ભોજન કર્યા બાદ વાસણો અને કિચનને સાફ કરીને જ સૂવો. આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ધન પ્રાપ્તિનાં નવા સ્ત્રોત ખૂલે છે.
કિચન સામે જ ન બનાવો બાથરૂમ
ઘણાઆ લોકો મકાનમાં નવી ડિઝાઇન બનાવવાના નામ પર કિચનની સામે જ બાથરૂમ બનાવી દે છે. જો તમે પણ એવું વિચાર્યું છે કે બનાવ્યું છે તો તરત જ તેમાં ફેરફાર કરી લો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કિચન અને બાથરૂમ ક્યારેય સામસામે ન હોવા જોઈએ. આમ કરવાથી ઘરમાં બીમારીઓ આવે છે અને માનસિક અશાંતિ પેદા થઈ જાય છે.
કિચનમા ન કરો મંદિરની સ્થાપના
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં મંદિર બનાવવા માટે સાફ જગ્યા અને એકાંતવાળી જગ્યા હોવી જોઈએ. સાથે જ ક્યારેય પણ કિચનની અંદર મંદિર ન બનાવવું જોઈએ.