આજે હનુમાન જન્મોત્સવ છે. આવામાં આજના દિવસે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીતર હનુમાનજી પ્રસન્ન થવાને બદલે ક્રોધિત થઇ જાય છે.
આજે છે હનુમાન જન્મોત્સવ
બજરંગબલીને પ્રસન્ન કરવા રાખો વ્રત
રાખો અમુક બાબતોનું ખાસ ધ્યાન
આજે છે હનુમાન જન્મોત્સવ
હનુમાન જન્મોત્સવ ભગવાન હનુમાનજીનાં જન્મ દિવસનાં રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભક્તો બજરંગબલીનાં નામ પર વ્રત રાખે છે. દર વર્ષે હનુમાન જન્મોત્સવ ચૈત્ર મહિનાની પૂર્ણિમાનાં દિવસે મનાવવામાં આવે છે, જોકે ઘણી જગ્યાઓ પર આ ઉત્સવ કાર્તિક મહિનાનાં કૃષ્ણપક્ષનાં ચૌદમાં દિવસે પણ મનાવાય છે. આ વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા 16 એપ્રિલ શનિવાર એટલે કે આજે છે.
આ દિવસે પૂજામાં જારા પણ ભૂલ મોટા સંકટોને આમંત્રણ પણ આપે છે. આવો જાણીએ કે હનુમાન ભક્તોએ આ દિવસે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ.
ચરણામૃત
હનુમાનજીની પૂજા કરનાર ઘણા લોકો આ જાણતા નથી કે તેમની પૂજામાં ક્યારેય ચરણામૃતનો પ્રયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી ઘણા અશુભ પરિણામો મળી શકે છે.
સ્ત્રીઓનો સ્પર્શ
હનુમાનજીની પૂજા કરતા સમયે બ્રહ્મચર્યનું વ્રત કડકાઈથી પાળવું જોઈએ. બાલ બ્રહ્મચારી હોવાને કારણે હનુમાન સ્વયં સ્ત્રીઓનાં સ્પર્શથી બચે છે. એટલા માટે પૂજા દરમિયાન મહિલાઓએ હનુમાનજીની મૂર્તિને સ્પર્શ કરવી જોઈએ નહી.
સૂતક કાળ
ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે સૂતક કાળમાં હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. સૂતક કાળ ત્યારે માનવામાં આવે છે જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે. આ સૂતક વ્યક્તિના મૃત્યુનાં 13 સુધી માન્ય રહે છે.
કાળા - સફેદ કપડા
ધ્યાન રાખો કે કાળા અથવા સફેદ રંગનાં કપડા પહેરીને ક્યારેય હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ. આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. બજરંગબલીની પૂજામાં માત્ર લાલ અથવા પીળા રંગનાં જ વસ્ત્રો ધારણ કરવા જોઈએ.
તૂટેલ મૂર્તિ
હનુમાનજીની પૂજામાં તૂટેલ મૂર્તિનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. જો ઘરમાં હનુમાનજીની કોઈ ફાટેલ તસવીર પણ હોય તો તેને પણ તરત જ હટાવી દો.
દિવસમાં ન સુવો
હનુમાન જન્મોત્સવનાં દિવસે જો તમે વ્રત રાખ્યું છે, તો ભૂલથી પણ દિવસે સુવાની ભૂલ ન કરો. આ ઉપરાંત, નમકનું સેવન ન કરો. દાનમાં આપેલી વસ્તુઓનું પણ સેવન ન કરવું જોઈએ.
આ ભૂલોથી બચો
હનુમાન જન્મોત્સવનાં દિવસે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દિવસે માંસ - મદિરાનું સેવન ન કરવું જોઈએ. શારીરિક સમંધ ન બનાવો. ગુસ્સામાં આવીને કોઈને અપશબ્દ પણ ન કહેવા જોઈએ.