ઘણીવાર વગર કારણના ખર્ચાઓ મહિનાનું બજેટ જ બગાડી દે છે. આ પાછળ વાસ્તુદોષ જવાબદાર છે. જાણો કઈ કઈ ભૂલ ન કરવી જોઈએ, જેથી માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે.
ઘરમાં નથી ટકતા પૈસા.
આ વાસ્તુ દોષ હોઈ શકે છે કારણ
ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરશે આ ઉપાય
પૈસા કમાવા માટે લોકો ઘણી મહેનત કરે છે, પરંતુ ખર્ચ થવામાં જરા પણ સમય લાગતો નથી. આટલું જ નહિ, વગર કારણના ખર્ચ જ મહિનાનું બજેટ બગાડી દે છે. ઘણા લોકોનો તો વગર કારણના ખર્ચાઓ સાથે જીવનભરનો સાથ હોય છે. ક્યારેક બીમારી તો ક્યારેક ચોરી કે પછી કોઈને કોઈ કારણે તેમની પાસે પૈસા ટકતા નથી. આ પાછળ વાસ્તુ દોષ કે એમ કહીએ કે તેની જ કોઈ ભૂલ જવાબદાર હોય છે. મોટેભાગે લોકો આવી નાની બાબતોનું ધ્યાન નથી રાખી શકતા તથા માં લક્ષ્મીની કૃપાથી વંચિત રહે છે.
આ ભૂલ હોઈ શકે છે જવાબદાર
વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરવાજાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે કેમકે અહીથી જ ઘરમાં સકારાત્મક કે નકારાત્મક ઉર્જા આવે છે. જો ઘરના મુખ્ય દરવાજાને લઈને કોઈ ભૂલ; થશે તો તે મોટી તકલીફ આપી શકે છે. જેમકે ઘરના મુખ્ય દરવાજા પર સાફ-સફાઈ નથી રહેતી, તેવામાં ઘરમાં હંમેશા બીમારીઓનો વાસ રહે છે તથા ઘણી મહેનતથી કમાયેલ પૈસા દવાખાના-દવાઓ પર ખર્ચ થઇ જાય છે. મુખ્ય દરવાજા પર ક્યારેય ગંદકી ન રહેવા દો, પરંતુ તેને સાફ-સુથરું રાખો તથા તેના પર સ્વસ્તિક, માં લક્ષ્મીનાં ચરણ જેવા શુભ પપ્રતીકો બનાવો.
આ ઉપાયો અપાવશે રાહત
જો ઘણી મહેનત બાદ પણ તમારા ઘરમાં પૈસા નથી ટકતા તો આ પાછળ અન્ય વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. આવામાં રોજીંદા કરવામાં આવેલ એક ઉપાય તમને માં લક્ષ્મીની કૃપા મેળવવામાં ખૂબ જ મદદરૂપ થશે. આ માટે તમે ઘરમાં રોજીંદા ચંદનની અગરબત્તી કે ધૂપબત્તી જરૂર સળગાવો, જેથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહેશે તથા હંમેશા લક્ષ્મીજી ઘરમાં વાસ કરશે.