જો તમે વોટ્સએપ પર કોઈ ગ્રૂપના એડમીન છો, તો આ 5 ભૂલ ક્યારેય ન કરતાં નહીંતર તમને જેલ પણ થઈ શકે છે.
વોટ્સએપ ગ્રુપ એડમીનને હોવી જોઈએ ગ્રુપ પર શેર તથા કન્ટેન્ટની જાણ
ફેક ન્યૂઝ ફેલાવવા પર થઈ શકે છે જેલ
રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ માટે પણ થઈ શકે છે જેલ
જો તમે કોઈ વોટ્સએપ ગ્રૂપના એડમીન છો, તો તમને ગ્રૂપમાં શેર થતાં ફોટા તથા વીડિયો વિશે જાણ હોવી જોઈએ. જો તમને આ જાણ નથી અને ગ્રુપ કોઈપણ ખોટી ગતિવિધિઓમાઆ સપડાયું તો તમને જેલ થઈ શકે છે. તો ચાલો જાણીએ આવી જ કઈ કઈ વસ્તુઓનું વોટ્સએપ પર ધ્યાન રાખવું જોઈએ.
રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ
WhatsApp ગ્રૂપમાં રાહસ્ત્રવિરોધી કન્ટેન્ટ શેર ન કરી શકાય. અમ કરવા પર ગ્રુપ એડમીન અને કન્ટેન્ટ શેર કરનાર વ્યક્તિ, બંનેને અરેસ્ટ કરી શકાય છે.
પર્સનલ ફોટો કે વીડિયો
જો કોઈ વ્યક્તિનો પર્સનલ ફોટો તેની મરજી વગર ગ્રુપ પર શેર કરવામાં આવે છે અને ગ્રુપ એડમીન આ બાબતને લઈને કોઈ એક્શન લેતો નથી, તો આ કન્ટેન્ટ શેર કરનારને અને એડમીન બંનેને જેલ થઈ શકે છે.
હિંસા
હિંસા તો અમ પણ અપરાધ જ છે. જો તમે વોટ્સએપ પર કોઈને ધમકી આપો છો, તો તમને આ માટે પણ જેલ થઈ શકે છે. આ ઉપરાંત, કોઈ ધર્મ અથવા જાતિનું અપમાન કરવા પર પણ તમને જેલ થઈ શકે છે.
અશ્લીલતા
જો વોટ્સએપ ગ્રૂપમાં કોઇપણબ પ્રકારનો અશ્લીલ કન્ટેન્ટ શેર કરવામાં આવે છે, તો કન્ટેન્ટ શેર કરનાર વ્યક્તિ તથા ગ્રુપ એડમીનને જેલ થઈ શકે છે.
ફેક ન્યૂઝ
સરકાર પણ ફેક ન્યૂઝથી બચવાની સલાહ આપે છે અને ફેક ન્યૂઝ અને ફેક કન્ટેન્ટ પર કડક પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે. થોડા જ સમય પહેલા એક નવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે જો કોઈપણ વ્યક્તિ ફેક ન્યૂઝ ફેલાવે છે, તો તેને જેલ થઈ શકે છે.