પ્રોવિડન્ટ ફંડ એ રકમ છે જે સામાન્ય રીતે નિવૃત્તિ પછી પ્રાપ્ત થાય છે. તમારા પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાયેલી રકમ પર 8.5 ટકા વ્યાજદર મળે છે. જોકે, એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન નિવૃત્તિ પહેલાં લગ્ન, મેડિકલ ઈમરજન્સી, શિક્ષણ વગેરે માટેના પ્રોવિડન્ટ ફંડમાથી કેટલાક પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે.
પ્રોવિડન્ટ ફંડ એ રકમ છે જે સામાન્ય રીતે નિવૃત્તિ પછી પ્રાપ્ત થાય છે
પીએફના પૈસા ઉપાડી લેવા પર થાય છે આ નુકસાન
EPFOના આ નિયમ વિશે જાણી લો
જો તમે પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડો છો તો તમારે નિવૃત્તિ સમયે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. જેથી એવી કોશિશ કરવી કે નોકરી દરમિયાન પીએફ પાસેથી પૈસા ઉપાડવાની જરૂર ન પડે. જોકે, કેટલાક જરૂરી ખર્ચાઓ માટે તમે નિવૃત્તિ પહેલાં પણ આ ફંડમાંથી થોડા પૈસા ઉપાડી શકો છો. પરંતુ પૈસા ઉપાડવાથી નુકસાન થાય છે. એવી જ રીતે કેટલાક લોકો નોકરી બદલવા પર પીએફના પૈસા ઉપાડી લે છે. પરંતુ આવું કરવાથી તમારે નિવૃત્તિ સમયે ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. નિવૃત્તિ પછી મળનારા પૈસા ઓછાં થઈ જાય છે. જેની અસર પેન્શન પર પણ પડે છે. જો તમે નિવૃત્તિ પછી ફંડ નથી ઉપાડતા તો 3 વર્ષ સુધી તેના પર વ્યાજ મળે છે.
નાણાકીય વર્ષ 2019-20 માટે ઈપીએફ પર મળતું વ્યાજ નક્કી થયું
ઇપીએફઓની હાલની બેઠકમાં નાણાકીય વર્ષ 2019-20ના વ્યાજદર અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. વર્ષ 2019-20 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) પર 8.5% વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ ઇપીએફઓ તરફથી ફક્ત 8.15% વ્યાજ આપવામાં આવશે. બાકીના 0.35 ટકા વ્યાજ ડિસેમ્બરમાં આપવામાં આવશે. ઇપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓએ 5 માર્ચે કરેલી બેઠકમાં ઇપીએફ પર 2019-20 માટેના વ્યાજ દરને 8.50 ટકા રાખવાની ભલામણ કરી હતી, જે પહેલાંથી 0.15 ટકા ઓછી છે. ટ્રસ્ટી બોર્ડના અધ્યક્ષ શ્રમ પ્રધાન સંતોષ ગંગવાર છે. ઇપીએફનો આ વ્યાજદર 7 વર્ષનો લઘુતમ દર છે.