કોરોના વાયરસ દેશ ભરમા પ્રસરી ગયો છે. જેમ જેમ દેશમાં આ કેસ વધી રહ્યા છે, લોકોને ફક્ત શરદી ખાંસી થાય તો પણ ડર લાગે છે. કોઇ વ્યક્તિ હળવા તાવ શરદી ખાંસી માટે પણ ટેસ્ટ કરાવવા દોડી જાય છે, પરંતુ મોટાભાગના કેસમાં ડરવાની જરુર નથી.
તાવ વગર શરદી ખાંસી હોય તો ડરો નહીં
કોરોના વાયરસના ચેપના લક્ષણોને સમજો
આવી સમસ્યા હોય તો ગભરાવાની જરૂર નથી
તાવ નહીં, શરદી ખાંસી હોય તો...
જો તમે શરદી અને ખાંસી થયા હોય, પરંતુ તાવ ન આવ્યો હોય તો તમારે ડરવાની જરુર નથી. સાવધાન રહો અને આરામ કરશો તો બધુ ઠીક થઇ જશે. તે સામાન્ય ફ્લુ છે. કોરોનામાં 100 કરતા વધુ તાવ,સુકી ખાંસી અને શ્વાસ લેવામાં પરેશાની થાય છે.
જેને હળવો તાવ હોય....
જેને શરદી અને ખાંસી સાથે હળવો તાવ પણ હોય, તે ચિંતા ન કરે. થર્મોમીટર પર જેને 100 ફેરેનહીટ કરતા ઓછો તાવ હોય તે હેરાન ન થાય. નાકમાંથી પાણી નીકળવુ ચિંતાની વાત નથી.
ચિંતા કોણે કરવી જોઇએ
જે 14થી 24 દિવસની અંદર કોરોનાગ્રસ્ત દેશોમાંથી પાછા આવ્યા છે. જેના ઘરમાં કોરોનાના રોગી છે, જેઓ કોરોનાના રોગીના સંપર્કમાં છે કે રહી ચુક્યા છે.
વૃધ્ધોનુ ધ્યાન રાખો
વૃધ્ધોની ઇમ્યુનિટી ઓછી હોય છે. તેથી તેમનામાં ખતરો વધુ હોય છે. વૃધ્ધો ભીડભાડ વાળા વિસ્તારોમાં ન જાય. જરુરી નહોય તો યાત્રા ન કરો. હેલ્ધી ડાયેટ લો અને વ્યાયામ કરો.
શરદી-ખાંસી હોય તો આરામ કરો
કોઇ પણ જગ્યાએ ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાએ જવાથી બચો. ખુલ્લામાં છીંકવાથી બચો. જો ઉધરસ કે છીંક આવતી હોય તો રુમાલનો ઉપયોગ કરો. અન્ય દેશોમાં યાત્રા કરવાથી બચો. લોકોને હાથ મિલાવવાના બદલે નમસ્કાર અને પ્રણામ કરો. નિયમિત વ્યાયામ કરો, હેલ્ધી અને શાકાહારી ડાયેટ લો. લીંબુ પાણી પીવો. શરદી ખાંસી હોય તો સંપુર્ણ આરામ કરો. જો કોલોનીમાં કોઇ કોરોના પીડિત હોય તોતેનાથી છ ફૂટનુ અંતર રાખો, તમારી જાતે કોઇ દવા ન લો.