આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ બીજા પાસેથી ઉધાર લઈને ન કરવો જોઈએ અને બીજા કોઈને ઉધાર આપવી પણ ન જોઈએ.
બીજા પાસેથી માંગીને આ વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો
આ વસ્તુઓ બીજા કોઈને ઉધાર આપવી પણ ન જોઈએ
આવું કરવાથી જીવનમાં આર્થિક તંગી, બીમારી જેવી ઘણી સમસ્યાઓ આવી શકે
નાનપણથી આપણે એમ શીખવાડવામાં આવ્યું છે કે શેરિંગ ઈઝ કેરિંગ. એટલે કે આપણી વસ્તુઓ એકબીજા સાથે શેર કરવાનું શીખવવામાં આવે છે. જો કે આ એક ખૂબ જ સારી આદત છે પણ ક્યારેક તે આપણા માટે બેડ લકનું કે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે. જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ બીજા પાસેથી માંગીને ક્યારેય ન કરવો જોઈએ અને એ ઉપરાંત આપણી અમુક વસ્તુઓ બીજા કોઈ વ્યક્તિને ઉપયોગ માટે પણ ન આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી નકારાત્મકતા અને વાસ્તુ દોષ થઈ શકે છે અને તેને કારણે જીવનમાં આર્થિક તંગી, બીમારી અને દુર્ભાગ્ય જેવી ઘણી સમસ્યાઓ આવી શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ બીજા પાસેથી ઉધાર લઈને ન કરવો જોઈએ અને બીજા કોઈને ઉધાર આપવી પણ ન જોઈએ.
આ 5 વસ્તુઓ ક્યારેય બીજા પાસેથી ઉછીના ન લેવી
પેન - પેન એક એવી વસ્તુ છે જેને જ્યારે આપણને જરૂર હોય ત્યારે આપણે ઘણીવાર બીજા કોઈ પાસેથી માંગી લઈએ છીએ પણ વાસ્તુશાસ્ત્ર મુજબ તે ખોટું કહેવાય છે. આમ કરવાથી અન્ય વ્યક્તિના નસીબ અથવા ખરાબ સમયની અસર આપણા પર પણ પડી શકે છે. અને જો કોઈ વખત જરૂર પડે તો બીજા પાસેથી પેન ઉધાર માંગવી પણ કામ પૂરું થયા પછી પેન તે વ્યક્તિને પાછી આપી દેવી જોઈએ.
કપડાં - મિત્રો અને સંબંધીઓ વચ્ચે કપડાંની આપ-લે સૌથી સામાન્ય વાત છે પણ આ સામાન્ય આદત નસીબ પર ખરાબ અસર કરી શકે છે. વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિની પોતાની એક ઉર્જા હોય છે અને એવામાં જો તમે કોઈ બીજાના કપડાં પહેરો છો તો તે વ્યક્તિની ઊર્જા તમારા પર અસર કરી શકે છે. હા એ હકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે છે પણ બને ત્યાં સુધી કોઈ બીજી વ્યક્તિના કપડાં ન પહેરવા જોઈએ.
ઘડિયાળ - એવું કહેવામાં આવે છે કે ઘડિયાળ સાથે વ્યક્તિનું નસીબ જોડાયેલું હોય છે અને એ જ વ્યક્તિના સારા-ખરાબ સમય વિશે જણાવે છે. એવામાં જો તમે કોઈની ઘડિયાળ ઉધાર લઈને પહેરો છો, તો તે વ્યક્તિની દુર્ભાગ્ય તમારા જીવન પર પણ અસર કરી શકે છે.
જૂતાં-ચપ્પલ - કપડાંની જેમ લોકોમાં જૂતાં-ચપ્પલની પણ ઘણી આપ-લે થાય છે. જ્યારે જરૂર પડે, ત્યારે પરિચિતોના ચપ્પલ પણ પહેરી લઈએ છીએ પણ આ આદત તમારા માટે સમસ્યા લાવી શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિનું સ્થાન ચરણોમાં પણ હોય છે અને એવામાં જો તમે બીજા ના જૂતાં-ચપ્પલ પહેરી લો છો તો જાણતા-અજાણતા તમે સામેની વ્યક્તિની મુશ્કેલી તમારા પર લઈ લો છો.
વીંટી - આ વાત ખાસ યાદ રાખવી કે બીજાની વીંટી પૂછીને પણ ન પહેરવી જોઈએ. એવું કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વીંટી સોના-ચાંદી અથવા કોઈપણ કૃત્રિમ ધાતુ, રત્ન અથવા ગ્રહ રાશિ સાથે સંબંધિત કેમ ન હોય પણ બીજાની વીંટી પહેરવાનું ટાળવું જોઈએ.