મુંબઇના ડોંગરી વિસ્તારમાં આવેલી બિલ્ડિંગ ધરાશાયી થઇ છે ત્યારે તપાસ તો જ્યારે થશે ત્યારે, પરંતુ આ દૂર્ઘટનાને લઇને જવાબદાર કોણ ? આ દૂર્ઘટના માટે મ્હાડા અથવા બીએમસી જવાબદાર કે પછી બંને? આ બિલ્ડિંગ BSB ડેવલપર્સની છે તો શું તેની કોઇ જવાબદારી નથી? સરકારે 100 વર્ષ જૂની બિલ્ડિંગને જર્જરિત બિલ્ડિંગની યાદીમાં કેમ ન મૂકી?
મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે પરેશાન કર્યા હતા, પરંતુ વરસાદની સાઇડ ઇફેક્ટે હવે મુંબઇવાસીઓને રોવડાવાનું શરૂ કરી દીધું છે. પહેલા એક દિવાલ ધરાશયી થઇ જેમાં કેટલાંક લોકોના મોત નિપજ્યાં, પછી મેનહોલમાં એક બાળક પડી ગયું અને હવે ડોંગરી વિસ્તારમાં હવે એક જૂની બિલ્ડિંગ ધરાશાયી થઇ જતાં અંદાજે 50 જેટલા લોકો દટાયાં. અત્યાર સુધીમાં આ દૂર્ઘટનામાં 14 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય 9 લોકો ઘાયલ થયા છે.
મુંબઈના ડોંગરીમાં આવેલી 100 વર્ષ જૂની જર્જરિત બિલ્ડીંગ વરસાદ બાદ ધરાશાયી થઈ હતી. આ બિલ્ડીંગ ધરાશયી થતા સમગ્ર વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો હતો. ત્યારે માઠા સમચાર એ છે કે આ બિલ્ડીંગ ધરાશાયી થતા 14 લોકોનાં મોત થયા છે. જ્યારે આ બિલ્ડીંગ ધરાશાયી થઈ ત્યારે 40થી 50 લોકો દટાયા હતા.
જો કે ત્યાર બાદ NDRF દ્વારા રાહત અને બચાવ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું અને 9 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે હજુ પણ આ બિલ્ડીંગના કાટમાળ નીચે 8થી 10 પરિવાર ફસાયા હોવાની આશંકા છે. ત્યારે ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે NDRFના જવાનો સતત મહેનત કરી રહ્યા છે. પરંતુ રાતના સમયે NDRFના જવાનોને પણ બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી હતી.
National Disaster Response Force (NDRF): Death toll rises to 14 in the Kesarbhai building collapse incident. https://t.co/weo5grCJWs