અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર માટે નિધિ સમર્પણ અભિયાનની શરુઆત શુક્રવારે થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતે 5 લાખ 100 રુપિયાનું દાન કરી આ અભિયાનની શરુઆત કરી. તેમની પાસે ડોનેશન માંગવા માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિંદુ પરિષદ અને સ્વયંસેવક સંઘનું એક પ્રતિનિધિ મંડળ પહોંચ્યુ હતુ.
રાષ્ટ્રપતિએ આપ્યો 5 લાખ 100 રુપિયાનો ચેક
શિવરાજે આપ્યો 1 લાખ રુપિયાનો ચેક
રામ મંદિર માટે ડોનેશન ભેગુ કરવાનું અભિયાન આજથી શરુ
રાષ્ટ્રપતિએ આપ્યો 5 લાખ 100 રુપિયાનો ચેક
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર નિર્માણ માટે 5 લાખ 100 રુપિયાનો ચેક આપ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે એક રુપિયા, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાતે 11 લાખ રુપિયા, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 1 કરોડ રુપિયા અને મોરારી બાપૂએ 11 કરોડ રુપિયાનું દાન કર્યું છે.
શિવરાજે આપ્યો 1 લાખ રુપિયાનો ચેક
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધિ સંગ્રહ અભિયાનમાં ભગવાન રામના મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદના વિનાયક રાવ દેશમુખજીને એક લાખ રુપિયાનો ચેક આપ્યો હતો.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પાસે પણ ડોનેશન માંગશે
ઉલ્લેખનીય છે કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યાધ્યક્ષ આલોક કુમાર સહિત વીએચપીના મોટા નેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિર માટે રાષ્ટ્રપતિ પાસે ડોનેશન માંગ્યુ. આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદના કેટલાક નેતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પાસે પણ ડોનેશન માંગશે.
ડોનેશન ભેગુ કરવાનું અભિયાન આજથી શરુ
રામ મંદિર માટે ડોનેશન ભેગુ કરવાનું અભિયાન આજથી શરુ થઈ ગયું છે. આ અભિયાન હેઠળ 5 લાખ ગામોના 12 કરોડથી વધારે પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. મંદિર બનાવવા માટે ડોનેશન ભેગુ કરવાનું કામ 27 ફેબ્રુઆરી સુધી ચાલસે. અભિયાન હેઠળ રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદના લોકોનું સમર્પણ અને સહયોગ રાશી મળશે. આ દરમિયાન 10 રુપિયા, 100 રુપિયાના કૂપન રહેશે. ત્યારે 2 હજારથી વધારે સહયોગ કરનારને રસીદ આપવામાં આવશે. આ ડોનેશનના માધ્યમથી અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ કાર્ય કરવામાં આવશે.