પીએમ કેર ફંડમાં અઢી લાખ ડોનેટ કરનાર વ્યક્તિની માતાને હોસ્પિટલમાં ન મળ્યો. ભાવુક થઈ ટ્વીટર પર લખી પોસ્ટ
પીએમ કેર ફંડમાં વિજય પારિખે કર્યો હતા અઢી લાખ ડોનેટ
માતાને સારવાર માટે હોસ્પિટલમાં ન મળ્યો બેડ
સારવાર ન મળવાના કારણે માતાનું થયું મૃત્યુ
પીએમ કેર ફંડને લઈને કરવામાં આવેલું એક ટ્વીટ હાલ વાયરલ થઈ રહ્યું છે. આ વખતે આ ટ્વીટ એક દિકરાએ પોતાની માતાની સારવાર માટે બેડ ન મળવાના કારણે કર્યું છે. એક મોદી સમર્થકે પોતાની માતાને ખોઈ બેસવાના દુઃખમાં મોદી સરકારને એક ટ્વીટ કર્યું છે. વિજય પારિખ નામના આ વ્યક્તિએ પીએમ કેર ફંડમાં કરેલા પોતાના દાનનો સ્ક્રીનશોટ મુક્યો છે. અને જણાવ્યું કે અઢી લાખ રૂપિયા ડોનેશન આપ્યા બાદ પણ તે પોતાની માતાને બચાવી ન શક્યો.
2 લાખ 51 હજાર રૂપિયાનું ડોનેશન આપ્યા બાદ પણ હું મારી માતાને હોસ્પિટલ બેડ ન અપાવી શક્યો. મને જણાવો કે હવે મારે કોરોનાની ત્રીજી લહેરમાં બર્થ રિઝર્વ કરાવવા માટે વધુ કેટલું ડોનેશન આપવું પડશે, જેથી હું મારા પરિવારના બીજા કોઈ સદસ્યને ન ખોઈ બેસુ.
વિજયે આ ટ્વીટને પીએમઓ, રાજનાથ સિંહ, RSS, સ્મૃતિ ઈરાની અને અહીં સુધી કે રાષ્ટ્રપતિ ભવનને પણ ટેગ કરીને કર્યું છે. ઘણા લોકો વિજયના આ ટ્વીટને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ પીએમ કેર ફંડને લઈને સવાલ પણ કરી રહ્યા છે. વિજય પારિખે પણ ઘણા ટ્વીટ્સના જવાબ આપતા દેશહિતમાં ડોનેશન આપવાની વાત કહી હતી. ઘણા લોકોએ તેમને જૂની ટ્વીટ પણ યાદ અપાવી જેમાં તે મોદી સરકારની પ્રશંસા કરી રહ્યા હતા.
ડોનેશનનું ટ્વીટ કરનાર વિજય પારિખ 2010થી ટ્વિટર પર છે. બીજેપી અને પીએમ મોદીના કામને સમર્થન પણ કરી રહ્યા હતા. તે પીએમ મોદીના ટ્વીટ રીટ્વીટ પણ કરી રહ્યા હતા. નોટબંધી વખતે પણ તેમણે પીએમ મોદીના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું હતું-
એક ટ્વીટમાં તો તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પીએમ મોદીથી પ્રેરિત ગણાવ્યા હતા.
Trump, inspired by Modi - Ab ki baar Trump Sarkaar.