વર્ષના અંતિમ દિવસે એટલે કે શનિવાર 31 ડિસેમ્બર 2022 ના રોજ જૂતા-ચંપલોનું દાન કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે અને નવા વર્ષમાં તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.
વર્ષના અંતિમ દિવસે કરો જૂતાનું દાન
બદલાઈ જશે તમારૂ ભાગ્ય
નવા વર્ષમાં તમને મળશે શનિદેવની કૃપા
2022નું વર્ષ વિવિધ લોકો માટે ઘણી રીતે ફળદાયી રહ્યું. કેટલાક લોકોએ આ વર્ષે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હશે તો કેટલાક લોકોના કામ અધૂરા રહી ગયા હશે. એવું કહેવાય છે કે નવું વર્ષ પોતાની સાથે નવી આશાઓ અને અપેક્ષાઓ લઈને આવે છે.
આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવા વર્ષમાં તેની બધી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય અને તેને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે. નવા વર્ષને શુભ બનાવવા માટે તમારે આ વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બર 2022 ના રોજ જૂતા-ચંપલો સંબંધિત આ ઉપાય અવશ્ય કરવા જોઈએ.
31 ડિસેમ્બરે છે શનિવાર
હકીકતે વર્ષનો છેલ્લો દિવસ 31 ડિસેમ્બરે શનિવાર છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યના ચરણોમાં શનિદેવનો વાસ રહે છે. એટલા માટે જૂતા-ચંપલોથી પણ શનિદેવના શુભ-અશુભ પરિણામ જોડવામાં આવે છે.
કહેવાય છે કે શનિવારે નવા જૂતા ખરીદવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે. બીજી તરફ જો તમે આ દિવસે જૂતા અને ચપ્પલનું દાન કરો છો તો તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. વર્ષના અંતિમ દિવસે 31 ડિસેમ્બરે શનિવાર આવે છે. આ દિવસે તમારે જૂતા અને ચપ્પલનું દાન અવશ્ય કરવું જોઈએ. તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે અને તમારું નવું વર્ષ સારું રહેશે.
શનિવારે જૂતા-ચંપલ સાથે જોડાયેલા આ કામ કરવાથી શનિદેવ થશે પ્રસન્ન
શનિવારે જૂતા અને ચંપલનું દાન કરવું ફાયદાકારક છે.
જે લોકો શનિની સાડાસાતીથી પીડિત હોય તેમણે શનિવારે જૂતા અને ચપ્પલનું દાન કરવું જોઈએ, આનાથી તેમને શનિ દોષમાંથી મુક્તિ મળે છે.
શનિવારના દિવસે જરૂરતમંદોને કાળા રંગના જૂતા અને ચપ્પલનું દાન કરવું શુભ છે. શનિદેવની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
પરંતુ શનિવારે નવા શૂઝ અને ચપ્પલ ખરીદવાનું ટાળવું જોઈએ. આવું કરવું દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે.