યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણથી મઢવાની પ્રથમ તબક્કાની કામગીરી પુર્ણ થઇ છે. ત્યારે ગઇકાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનું લોકાર્પણ કર્યુ હતુ. વધુમાં વધુ લોકો સોનાનું દાન કરી મંદિર વહેલી તકે સંપુર્ણ સુવર્ણમય બને તેવી પહેલ કરી હતી. જેનાં પગલે મંદિરને સોનાના દાન નેલઇ સારો આવકાર મળી રહ્યો છે.
ગઇકાલે જ મંદિર ટ્રસ્ટને સવા બે કિલો સોનાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 500 ગ્રામ સોનું અપાયુ હતુ ત્યાર બાદ 2 લાખ તેમજ 5 લાખનાં ચેક સોનાનાં દાન માટે મળ્યા હતા.
ત્યારે આજે ફરી અંબાજી મંદિરને 444 ગ્રામ સોનું ટ્રસ્ટને દાનમાં મળ્યુ છે. ચેન્નઇમાં રહેતાં જૈન મનિષભાઇ ધાનસાએ પોતાના પરીવાર સાથે આજે અંબાજી મંદિરે પહોંચી મંદિરમાં માતાજીને અંદાજે કિંમત રૂપીયા 13.54 લાખની કિંમતના 444 ગ્રામ સોનાનો હાર માતાજીને અર્પણ કર્યો હતો.
જેમાં અસલી રૂબીનાં નંગ જડવામાં આવેલાં હતા. આ દાન આપ્યા બાદ દાતાએ મુખ્યમંત્રીએ કરેલી જાહેરાતને વધાવી હતી અને વહેલી તકે મંદિર સોનાનું બની જાય તેવી મનોકામના કરી હતી.
મહત્વનું છે કે મુખ્યમંત્રી રૂપાણી અને તેમના પત્ની સાથે માં અંબાજીની પુજા અર્ચના કરી હતી. ત્યારબાદ આશીર્વાદ મેળવીને કપુર આરતી પણ કરી હતી.