અમેરિકા જેવી મહાસત્તાના મહાનાયક એટલે ટ્રમ્પ ભારતના અને તેમાં પણ ગુજરાતના મહેમાન બને તો તેમના સ્વાગમાં કોઈ કચાસ ન રહેવી જોઈએ. જે વાતને અમે પણ સ્વિકારીએ છીએ. પરંતુ શું તેનો અર્થ એવો છે કે, ટ્રમ્પના સ્વાગતમાં આંધળા બની લોકોની રોજી જ છીનવી લેવી..? આવું જ કાંઈક અમદાવાદમાં બની રહ્યું છે. જ્યાં લોકોની દુકાનો સીલ કરી દેવાઈ છે.
PM મોદી રેકડી ચલાવી રોજી મેળવવાની વાતો કેરે છે..
AMC અહીં દુકાનોને તાળા મારી લોકોની રોજી છીનવી રહી છે
શું આવી રીતે હવે લોકો પર જુલમ કરશો?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા ગુજરાત સરકાર અને ભાજપનું શાસન ધરાવતી AMC નથ-નવા પૈંતરા અપનાવી રહ્યું છે. જેમાં પહેલા ગરીબી છૂપાવવા માટે દીવાલ બનાવી નાખી. વિકાસના ખાડા છૂપાવવા માટે રસ્તાઓ બનાવી નાખ્યા અને હવે ગંદકીના નામે બિચારા લોકોના પેટ પર પાટુ મારી છે. એટલે કે, એરપોર્ટ સકાલ નજીક આવેલી 20 થી વધુ દુકાનોનો સીલ મારી દીધું છે. એવું લાગી રહ્યું છે કે, ફોટા પડાવવા માટે હવે આમ જનતા પર જુલમ થઈ રહ્યો છે. લોકોના પેટ પર પાટુ મારવામાં આવી રહી છે. પાટુ પણ કેવી પહેલા AMCએ ચેતવણીની નોટિસ આપી અને પછી AMCના હેલ્થ વિભાગે ગંદકી અને ગેરકાયદે કાઉન્ટરના નામે 20થી વધુ દુકાનોને તાળા જ મારી દીધા છે.
કારણ લખ્યા વગર AMC એ માર્યું સીલ
હવે જરા AMCએ જે સીલ માર્યું તેના પર લખ્યું કે, આથી ચેતવણી આપવામાં આવે છે કે, આ ધંધાવાળી જગ્યાનું સીલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ, ઉત્તર ઝોન દ્વારા મારવામાં આવેલ છે. જેથી સક્ષમ સત્તાની મંજૂરી વગર ખોલવું કે તેની સાથે ચેડાકરવા તે ગુન્હો છે, જો આમ કરવામાં આવશે અથવા માલુમ પડશે તો કાયદેસરની કાર્યવાહીકરવામાં આવશે. જેની ગંભીર પણે નોંધ લેવી. નોટિસમાં બસ આટલું જ છે.ન તો સીલ મારવાનું કારણ લખ્યું છે. ન તો તેમનો ગુનો શું છે તે લખ્યું છે.
માલિકીની દુકાન પર મનપાએ લગાવી દીધા સીલ
મહત્વનું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ આવતા હોય ત્યારે તેની સુરક્ષાના કારણે કદાચ દુકાનો બંધ કરાવી શકાય અને એક કે બે દીવસ માટે દુકાન બંધ કરવી પડે તો તેમાં પણ લોકોને કોઈ વાંધો ન હોય. પરંતુ અહીં તો સીલ જ મારી દેવાયા છે અને તે પણ 8 દિવસ પહેલા. આ ક્યા પ્રકારનો નિર્ણય છે..? કોના કહેવા પર AMCએ સીલ મારી દીધા? લોકોની માલીકીની દુકાનો પણ હવે તમારા કહેવા પર ચલાવવી પડશે? કોઈની માલિકી પર તમને કોણ અધિકાર આપ્યો સીલ મારવાનો? શું આ દુકાનદારોએ કોઈ ગુનોકર્યો છે..? શું ટ્રમ્પ આવે છે તે આ દુકાનદારોનો ગુનો છે? એવું લાગી રહ્યું છે.. હવે આ દેશ ફરી ગુલામી તરફ આગળ વધી રહ્યો છે. જ્યાં લોકોને જીવવાનો પણ અધિકાર નહીં રહે.. માત્ર ઓર્ડર પર અને દબાણમાં જ કામ કરવું પડશે. કારણ કે, હાલ અમદાવાદમાં તો આવું જ કાંઈક થઈ રહ્યું છે.
દુકાન માલિકોએ નોંધાવ્યો વિરોધ
છેલ્લા 40 વર્ષથી એરપોર્ટ સર્કલ નજીક પાન પાર્લર અને દુકાન ચલાવતા આ દપંતીની દુકાન મ્યુનિસિપલ કોર્પેરેશને સીલ મારી દીધી. આ દપંતી દુકાનની માલીકીના પુરાવા અને વેરાના દસ્તાવેજ સાથે દુકાન ખોલે તેવી માંગ સાથે દુકાનની બહાર બેસી રહયો છે. ટ્રમ્પ અને મોદીની સુરક્ષાના નામેરાખી મ્યુનિસિપલ કોર્પેરેશનની ટીમે ચેતવણીની નોટીસ લગાવીને દુકાનોને સીલ મારી દીધુ. હેલ્થ વિભાગની જેટ ટીમે ગંદકી અને ગેરકાયદે કાઉન્ટરના નામે 20થી વધુ દુકાનને તાળા મારી દેતા વેપારીઓમા ખુબ જ રોષ વધ્યો છે.
વહીવટી તંત્રના પગલાથી નાગરિકો થયાં પરેશાન
બન્ને મહાનુભાવો અમદાવાદની મુલાકાતે છે ત્યારે વહીવટી તંત્ર યુધ્ધના ધોરણે કામકાજ કરી રહયુ છે. પરંતુ વહિવટી તંત્રના અનેક નિર્ણયથી નાગરિકો પરેશાન થઈ રહયા છે. રાજસ્થાનથી આવેલા એક વેપારી છેલ્લા 3 દિવસથી પરેશાન છે. કારણ કે સુરક્ષાને લઈને હોટલમા રૂમ નથી મળી રહયા. લોકોની દુકાન સીલ કરી દેતા તેઓની હેરાનગતી વધી છે. તેઓ તંત્રને અપીલ કરી રહયા છે કે સામાન્ય પ્રજાને ધ્યાનમા રાખીને નિર્ણેય લેવો જોઈએ.
મનપાની લોકોમાં કામગીરીને લઈને રોષ
અમદાવાદને સુંદર બતાડવા તંત્રએ રોડ રસ્તાઓ બનાવ્યા. પરંતુ ગરીબોને છુપાવવા દિવાલ પણ ચણી દીધી. આજ પ્રકારે નાના વેપારીઓની દુકાનોને સીલ મારી દેતા અનેક પરિવારનો ધંધો ભાગી પડયો છે. વિદેશી મહેમાનોના અમદાવાદના આગમનની ખુશી તો અમદાવાદીઓમા છે. પંરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને લઈને રોષ પણ વધ્યો છે.