અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે આખરે ઈરાન સાથેના પરમાણુ કરારનો અંત કરવાનું એલાન કર્યું છે. સાથે સાથે અમેરિકા પરમાણું કરારથી અલગ થઈ ગયું છે. આ ન્યૂક્લિઅર ડિલ ઈરાન અને છ અન્ય શક્તિશાળી દેશો વચ્ચે 2015માં થઈ હતી. જેમાં અમેરિકા બ્રિટન ચીન ફ્રાંસ જર્મની રશિયા અને ઈરાન સામેલ હતું. તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ કરારની આગેવાની કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઈરાન ન્યૂક્લિઅર સોદાથી અમેરિકાનું અલગ થવાનું એલાન કરતા ડોનાલ્ડ ટ્રંપે કહ્યું કે ઈરાન પર આર્થિક પ્રતિબંધ પણ લગાવવામાં આવશે. તેઓએ ચેતણવી આપી કે જો ન્યૂક્લિઅર હથિયારોને લઈને કોઈ દેશ ઈરાનની મદદ કરશે તો તેના વિરૂદ્ધ પણ કડક પ્રતિબંધ લાદવામાં આવશે. એનાથી વિશ્વમાં એ સંદેશ જશે કે અમેરિકા માત્ર ધમકી જ નથી આપતું પણ કરીને બતાવે છે.
આપને જણાવી દઇએ કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ નિર્ણયને ખોટો બતાવ્યો અને કહ્યું કે આનાથી અમેરિકાની વૈશ્વિક વિશ્વસનીયતા ખતમ થઈ જશે. તો ટ્રંપના આ એલાન બાદ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે તેમનો દેશ અમેરિકા વગર પણ ન્યૂક્લિઅર સોદામાં આગળ વધશે.
આ નિર્ણય પર યુરોપ ચીન અને રશિયા સાથે વાત કરવામાં આવશે. તો ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામીન નેતન્યાહુએ ઈરાન ન્યૂક્લિઅર સોદાથી અમેરિકાના અલગ થવાના નિર્ણયને વધાવ્યો છે. તેઓએ કહ્યું કે આ ડિલથી અમેરિકાને અલગ કરવાનો તેમનો નિર્ણય એકદમ સાચો અને સાહસિક છે.