અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસીય ભારત પ્રવાસે આવવાના છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ નરેન્દ્ર મોદી સાથે નાગરિક્તા સંશોધન કાયદા (CAA)અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)નો મુદ્દો ઉઠાવશે. આ સાથે જ ધાર્મિક સ્વતંત્રતા પર ટ્રમ્પ પીએમ મોદીની સાથે વાત કરશે.
ટ્રમ્પ જમ્મૂ-કશ્મીરને લઈને ભારત સાથે કરશે વાત
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટે તે માટે કરશે વાત
ટ્રમ્પ CAA-NRCના મુદ્દા પર પણ PM સાથે કરશે વાત
ટ્રમ્પ જમ્મુ- કાશ્મીર બાબતે પણ ચર્ચા કરશે
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રવાસ પહેલા વ્હાઈટ હાઉસનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે PM મોદી સાથે કઈ બાબતો પર ચર્ચા કરશે તે અંગે કહ્યું હતું. ટ્રમ્પ જમ્મૂ- કશ્મીરને લઈને ભારત સાથે વાત કરશે.
ટ્રમ્પ CAA-NRCના મુદ્દા પર PM સાથે વાત કરશે
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટે તે માટે પણ વાત કરશે. આ ઉપરાંત વ્હાઈટ હાઉસના અધિકારીઓના જણાવ્યાનુંસાર ટ્રમ્પ CAA-NRCના મુદ્દા પર પણ PM સાથે વાત કરી શકે છે. તેમજ ધાર્મિક સ્વાતંત્ર્યતાને લઈને PM સાથે ટ્રમ્પ વાત કરશે.
ધાર્મિક સ્વાતંત્ર્યનો મુદ્દો અમેરિકા માટે મહત્વનોઃ વ્હાઈટ હાઉસ
વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, NRCને લઈને અમેરિકા ચિંતિત છે. જેને પગલે ટ્રમ્પ CAA-NRCના મુદ્દે ટ્રમ્પ PM મોદી સાથે આ બાબતે ચર્ચા કરી શકે છે કેમ કે ધાર્મિક સ્વાતંત્ર્યનો મુદ્દો અમેરિકા માટે મહત્વનો મુદ્દો છે.