અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે અને ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પરિવાર સાથે રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે. તેમજ હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા થશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપની મુલાકાતનો બીજો દિવસ
આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે ડોનાલ્ડ ટ્રંપ
PM મોદી સાથે હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠકનું આયોજન
જેમાં સમજૂતિ કરારના આદાનપ્રદાન કરવામાં આવશે. ત્યાર બાદ ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે બેઠક કરશે. મોડી રાત્રે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે રવાના થશે.
ભારતની મુલાકાતે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મોટેરા સ્ટેડિયમ ખાતે ત્રણ અરબ ડોલર રક્ષા સમજૂતિનું એલાન કર્યું હતું. બંને દેશો વચ્ચે આજે આ સમજૂતિ કરવામાં આવે તેવી શક્યતા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે સૌથી સારા હેલિકોપ્ટર, લડાખૂ વિમાન, રોકેટ, જહાજ, ડ્રોન અને ખતરનાક હથિયાર બનાવીએ છીએ.