અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. નાગરિકોને પ્રાથમિક સુવિધા એટલે કે સારા રોડ રસ્તા, ગંદકી, કુતરા કે ગાયના દબાણને હટાવવામાં નિષ્ફળ તંત્ર માત્ર ગણતરીનાં કલાકો રોકાવા આવી રહેલા મોઘેરા મહેમાન ટ્રમ્પ માટે રાતો રાત આ સુવિધા ઉભી કરી રહી છે. તેઓ શહેરીજને પાન ખાઈ દિવાલો ન બગાડે તે માટે પાન મસાલાની દુકાનો શીલ કરશે. કુતરા- ગાય ટ્ર્મ્પના માર્ગમાં ન આવે તે માટે વિચારણા કરી પ્લાન બનાવશે.
ટ્રમ્પના રૂટ પરથી શ્વાન અને નીલગાયને હટાવાશે
લોકો દીવાલોને ખરાબ ન કરે તે માટે પાનની દુકાનો સીલ
સીલ કરેલી પાનની દુકાન ખોલાશે તો થશે કાર્યવાહી
કુતરાઓને ટ્રમ્પના રુટથી દુર રાખવા બેઠક યોજાઈ
ટ્રમ્પના અમદાવાદ પ્રવાસને લઈને તંત્રની વિશેષ તૈયારી કરી રહ્યું છે. ત્યારે પશુપાલન વિભાગે તૈયારીના ભાગરૂપે વિશેષ બેઠક બોલાવી છે. ટ્રમ્પના રૂટ પર શ્વાન અને ગાય ન આવે તે માટેની કવાયત તો હાથ ધરાઈ છે. VVIP રૂટથી શ્વાનને 5 દિવસ કેવી રીતે દૂર રાખી શકાય તેના પર ચર્ચા કરવામાં આવશે.
પાન- મસાલાની દુકાનો સીલ કરાશે
ગુજરાતમાં પાન મસાલા ખાવાનું ચલણ છે. લોકો ગમે પાન મસાલા ખાઈને ગમે ત્યાં થુકે છે. જેથી લોકોને થુકતા તો સરકાર નહીં રોકી શકે પણ લોકોને 1 દિવસ પુરતા માવા ખાતા ચોક્કસ રોકશે. એટલે કે માવા ખાઈને અમદાવાદીઓ ગમે ત્યાં ન થુંકે , લોકો દીવાલોને ખરાબ ન કરે તે માટે પાનની દુકાનો સીલ કરવામાં આવી છે. જો કોઈ સીલ કરેલી પાનની દુકાન ખોલાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
3 દુકાન સીલ કરવામાં આવી
અમદાવાદ કોર્પોરેશને શુક્રવારે ટ્રમ્પના રુટ પર આવતી 20થી વધુુ પાનની દુકાન બંધ કરાવી દીધી છે. તંત્રએ દુકાનદારને કહ્યું કે જો તે સીલ તોડ્યું તો તેના પર પગલા લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દુકાન સીલ કરવાનો સીધો સંબંધ ટ્રમ્પ સાથે છે કે કેમ તે હજું સુધી સ્પષ્ટ નથી. નવા ઓર્ડર સુધી દુકાન બંધ જ રાખવામાં આવશે.