આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદીની મુલાકાત મુદ્દે અમદાવાર શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
સોમવારે 11:30એ અમદાવાદ આવશે, 3:30 આગ્રા માટે રવાના થશેઃ પોલીસ કમિશનર
ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી સાબરમતી આશ્રમ જશે: પોલીસ કમિશનર
ક્યા વૈકલ્પિક રૂટ અને ક્યા રૂટ બંધ રખાશે?
જેમાં તેમણે જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે 11.30 વાગ્યે ટ્રમ્પ અમદાવાદ આવશે. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી આશ્રમ જશે. સાબરમતી આશ્રમમાં ટૂંકો કાર્યક્રમ છે. સાબરમતી આશ્રમમાં જ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત કરશે. તાજ સર્કલ. ડફનાળા, રિવરફ્રન્ટ અને સુભાસ બ્રિજ, ગાંધી આશ્રમ જશે. ત્યારબાદ ઇન્દિરા બ્રિજ કોટેશ્વર રોડથી સ્ટેડિયમ જશે. સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ત્યાંથી એરપોર્ટ પહોંચશે. એરપોર્ટ પરથી બપોરે 3.30 કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રા માટે રવાના થશે.
ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, 33 DCP, 75 ACP, 300 PI તૈનાત રહેશે. એક હજાર PSI, 12 હજાર પોલીસ જવાનો, 2 હજાર મહિલા જવાનો તૈનાત રહેશે. તો ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ટ્રમ્પની સુરક્ષા માટે SRPની 15 કંપની, RAFની 3 કંપની તૈનાત રહેશે. 33 DCP, 75 ACP, 300 PI તૈનાત રહેશે. 15 બોર્ડ સ્કોડ પણ તૈનાત રહેશે. SPG, NSG, DRDO, એરફોર્સ, પેરામિલિટરી તૈનાત રહેશે. જુદી જુદી એજન્સીઓ એકબીજાના સંકલનમાં રહેશે. SRP, US સિક્રેટ સર્વિસના સંકલનથી બંદોબસ્ત ગોઠવાયો છે. રોડ શોમાં VVIP બંદોબસ્ત રહેશે.
વોકીટોકીની મદદથી સુરક્ષાકર્મીઓ સંવાદ સાધશે
600 વોકીટોકી સેટ ઉપયોગમાં લેવાશે. ટર ડિટેકટકર, ડોર અને હેન્ડ મેટર ડિટેક્ટરનો ઉપયોગ થશે. 125 ડોર મેટર ડિટેકરત રોડ શોમાં રહેશે. 700 હેન્ડ હેર મેટર ડિટેક્ટર રખાશે. મોબાઈલ સિવાય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં નહીં લઈ જઈ શકાય. 6 બેગેજ સ્કેનર રાખયા છે. CCTV કેમેરાથી ઘટનાક્રમ પર ચાંપતી નજર રખાશે. એન્ટી ડ્રોન સિસ્ટમની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. જાહેર પ્રજાને ડ્રોનનો ઉપયોગ ન કરવા સુચના અપાઇ છે. ઈન્ટરનેશનલ, નેશનલ અને રિજનલ મીડિયા માટે વ્યવસ્થા કરાઇ છે.
મોબાઈલ સિવાય કોઈ વસ્તુ અંદર નહિ લાવવા દેવાય
માહિતી ખાતુ મીડિયા બસને સ્ટેડિયમમાં લઈ જશે. મોબાઈલ સિવાય કોઈ વસ્તુ અંદર નહિ લાવવા દેવાય. 6 બેગેજ સ્કેનર રાખવામાં આવ્યા છે. જ્યાં બેરેક નહી હોય ત્યા 350 દોરડાનો ઉપયોગ કરાશે. ધાબા પર પોઈંન્ટ ગોઠવવામાં આવ્યા છે. 38 ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવશે. વહેલા આવેલા નાગરિકોને સરળતાથી પ્રવેશ મળી શકશે. લોકો 3 કલાક અગાઉ આવે તો વ્યવસ્થાની સરળતા રહેશે. ફ્લાઈટમાં આવતા લોકો 3 કલાક પહેલા આવશે.
ક્યા વૈકલ્પિક રૂટ અને ક્યા રૂટ બંધ રખાશે?
પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, પરીક્ષાઓના કારણે 4 રૂટની ખાસ વ્યવસ્થા કરાઈ છે. ટ્રાફિકને ધ્યાને રાખીને વૈકલ્પિક રૂટોની પણ વ્યવસ્થા કરાઈ છે. સ્ટેડિયમ બાદ ગાંધી આશ્રમનો રૂટ બંધ રખાશે. કેટલાક રૂટ પર વાહન વ્યવહાર બંધ રહેશે. એરપોર્ટથી દફનાળા, રિવરફ્રન્ટ શીલા લેખ રોડ પ્રતિબંધિત રહેશે. વૈકલ્પીક રૂટ પર વાહન વ્યવહાર ચાલુ રહેશે.