ઈરાન-યુએસ તનાણ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનના મિસાઇલ હુમલામાં અમેરિકાને કોઈ નુકસાન થયું નથી. ગઈરાત્રે થયેલા આ હુમલામાં કોઈ વ્યક્તિ મર્યો ન હતો અને અમારા બધા સૈનિકો સલામત હતા. લશ્કરી થાણાઓને થોડું નુકસાન થયું છે. કોઈ અમેરિકન કે ઇરાકી શખ્સનો જીવ ગયો નથી.
ઈરાન પર કરેલી સ્ટ્રાઈક બાદ ડોનાલ્ડ ટ્રંમ્પનું દેશને સંબોધન
અમારા જહાજ આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં સ્થિર રહેશે
ટ્રમ્પે કહ્યું, કાસિમ સુલેમાની એક આતંકવાદી હતો અને અમે તેને મારી નાખ્યો. તે ઈરાની સેનાનો વડા હતો અને તે પ્રવૃત્તિઓમાં સામેલ હતો જે યોગ્ય ન હતી.
અમારા જહાજ આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં સ્થિર રહેશે
તેણે(સુલેમાની) હિજ્બુલ્લાને પ્રોત્સાહન આપ્યું હતું. જેના કારણે હજારો અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. કેટલાય રોડસાઇડ બોમ્બ એટેક થયા. તે ઘણા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. અમે ઇરાન પર વધુ કડક આર્થિક પ્રતિબંધો લાદીશું અને ઇરાન પોતાનું વલણ ન બદલાવે ત્યાં સુધી આ પ્રતિબંધો ચાલુ રહેશે. અમારા જહાજો આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં સ્થિર રહેશે.
ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા માટે માર્ગથી હટી જવું પડશે
ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા માટે માર્ગથી હટી જવું પડશે. હવે સમય આવી ગયો છે કે અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને જર્મનીએ સમજવું પડશે કે આપણે સાથે મળીને કામ કરવું પડશે. અમારે એક સમજૂતી પર આવવું પડશે જેનાથી ઇરાન પ્રગતિના માર્ગ પર આગળ વધી શકે. ઈરાનમાં એક મહાન દેશ બનવાની બધી સંભાવનાઓ છે.
ગઇકાલે ઇરાને કર્યો હતો હવાઇ હુમલો
ઉલ્લેખનીય છે કે, ઈરાને આક્રમક વલણ અપનાવીને આજે સવારે ઈરાકમાં આવેલા યુએસના બે સૈન્ય બેઝ પર મિસાઈલ છોડી હતી. અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને પણ ઈરાનના હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે.
પેન્ટાગોને ઈરાનના હુમલા અંગે કહ્યું કે, ઈરાકમાં અમારા બે સૈન્ય બેઝ પર ઈરાને મિસાઈલ વડે હુમલો કર્યો છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ આજે વહેલી સવારે અલ અસદ અને ઈરબિલ એરબેઝ પર ૩૫ જેટલાં રોકેટ છોડ્યાં હતાં. આ બંને સ્થળ પર અમેરિકન સેના તહેનાત છે.