જો સવારે 7 વાગ્યાથી લઇને સાંજે 7 વાગ્યાની વચ્ચે કોઇ મહિલાએ નાઇટી પહેરી તો એને એ ગુનાની સજા મળશે. તમે વિચારી રહ્યા હશો કે આ ક્યાંનો કાયદો છે? આ કાયદો કોઇ બીજા દેશનો નહીં પરંતુ આપણા દેશ ભારતનો છે. આંધ્રપ્રદેશમાં ટોકાલપલ્લી નામનું એક ગામ છે જ્યાંની પંચાયતે આ અજીબોગરીબ નિર્ણય સંભળાયો છે. આ નિર્ણય કોઇ પુરુષે નહીં પંચાયતના એ મુખિયાએ સંભળાવ્યો છે જે ખુદ મહિલા છે. મોટાભાગે મહિલાઓ રાતે નાઇટી પહેરે છે. નાઇટી ખૂબ જ હલ્કી અને સિમ્પલ હોય છે જેના કારણે કેટલીક મહિલાઓ એને દિવસમાં પહેરવાનું પસંદ કરે છે. પરંતુ ટોકાલપલ્લી ગામમાં હવે મહિલાઓ આવું કરી શકશે નહીં. આ ગામમાં દિવસે નાઇટી પહેરી લેવા પર 2 હજારનો દંડ ફટકારાઇ શકે છે. ભારતમાં આ પહેલું ગામ નથી જ્યાં નાઇટી પહેરવા પર બેન લગાવવામાં આવ્યો છે.
પંચાયતે એવો નિર્ણય કર્યો છે કે જો કોઇ મહિલા દિવસમાં બધાથી છુપાઇને નાઇટી પહેરે છે તો એના માટે જે પણ વ્યક્તિ પંચાયતને માહિતી આપશે એને 1000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જો કે નિયમ લાગૂ થયા બાદ હજુ સુધી કોઇ પણ એવો મામલો સામે આવ્યો નથી જેમાં મહિલાની નઇટી પહેરવાની ફરિયાદ કરવામાં આવી હોય.
ભારતમાં ઘણા એવા પણ ગામ છે જ્યાના વિચારો આટલા જૂના અને ખોટા છે. સવારે સાત થી સાંજે સાત વાગ્યા સુધી નાઇટી ના પહેરવાનું કારણ જાણીને હેરાન થઇ જશો. વાસ્તવમાં પંચાયતનું માનવું છે કે મહિલા દિવસમાં નાઇટી પહેરીની બહાર નિકળે છે પુરુષનું ધ્યાન એમની તરફ જાય છે જેનાથી બાદમાં એમને પરેશાની થઇ શકે છે. ગામમાં ગણા લોકો એવા છે જે પંચાયતના આ નિર્ણયની ટીકા કરે છે.
ભલે જૂનવાણીની પંચાયત આ વાતને ના માને પરંતુ એ સત્ય છે કે નાઇટી મહિલાઓ માટે સૌથી એક હલ્કી સરળ અને શિષ્ટ કપડાની જરૂરતને પૂરી પાડે છે.