શિવસેના નેતા સંજય રાઉતે ઇન્દિરા ગાંધી અને અન્ડરવર્લ્ડ ડૉન કરીમ લાલાની મુલાકાતને લઇને ભલે પોતાનું નિવેદન પરત લઇ લીધું હોય પરંતુ હાજી મસ્તાનના દીકરાએ તે નિવેદનને યોગ્ય ગણાવ્યું છે.
સંજય રાઉતે દાવો કર્યો હતો કે ઇન્દિરા ગાંધીની કરીમ લાલા સાથે થઇ હતી મુલાકાત
ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા અનુસાર, હાજી મસ્તાનના માનસપુત્ર સુંદર શેખરનું કહેવું છે કે સંજય રાઉતનું નિવેદન યોગ્ય હતું. ઇન્દિરા ગાંધીની કરીમ લાલા સાથે મુલાકાત થઇ હતી અને કેટલાક અન્ય નેતા તેમને મળ્યા હતા. હાજી મસ્તાન બિઝનેસમેન હતા અને બાલાસાહેબ ઠાકરે પણ હાજી મસ્તાનના ઘણા નજીકના મિત્ર હતા.
Sundar Shekhar, adopted son of don Haji Mastan: Sanjay Raut (Shiv Sena leader) is right. Indira Gandhi used to meet him (Karim Lala). Many other leaders also used to visit. Haji Mastan was a businessman. Balasaheb Thackeray too was a good friend of Haji Mastan. pic.twitter.com/Vqa4sc7spu
જણાવી દઇએ કે, સંજય રાઉતે દાવો કર્યો હતો કે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અને અન્ડરવર્લ્ડ ડૉન કરીમ લાલાની મુલાકાત થઇ હતી. પૂણેમાં લોકમત સમૂહના એક કાર્યક્રમ દરમિયાન રાઉતે દાવો કર્યો હતો કે 'જ્યારે (અન્ડરવર્લ્ડ ડૉન) હાજી મસ્તાન મંત્રાલય આવ્યા હતા, તો સમગ્ર સચિવાલય તેને જોવા માટે નીચે આવી ગયું હતું.'
ઇન્દિરા ગાંધી પાયધુની(દક્ષિણ મુંબઇ)માં કરીમ લાલાને મળતી હતી. કોંગ્રેસ નેતા મિલંદ દેવડા અને સંજય નિરૂપમે રાઉતના નિવેદનની નિંદા કરી અને તેમને નિવેદન પરત લેવાની માંગ પણ કરી હતી. રાઉતે કહ્યું કે, જો કોઇને એવું લાગે છે કે મારા નિવેદનથી ઇન્દિરા ગાંધીની છાપને નુકસાન પહોંચ્યું છે તો હું તેને પરત લઉં છું.
રાજ્યસભા સાંસદે કહ્યું કે મે પહેલા પણ તેમને પક્ષ લીધો હતો અને તે લોકો સામે લડ્યો છું જેમણે તેની છાપ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે કેટલાક મામલે તો કેટલાક કોંગ્રેસી નેતાઓએ પણ મૌન પાળી રાખ્યું.