બોપલ વિસ્તારમાં ‘તું મને ગમતી નથી, તારે હાલ જ બંને બાળકોને લઈ જ્યાં જવું હોય ત્યાં જતી રહે’ કહી પતિએ પત્નીને લોખંડની પાઈપ વડે ફટકારતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
પતિએ પરિણીતાને લોખંડની પાઇપ વડે માર માર્યો હતો
પતિએ કહ્યું કે તું ઘર બહાર નીકળી જા, નહીં તો તને જાનથી મારી નાખીશ
પરિણીતાને પેટના ભાગે લાતો મારી હતી
હાલ સોલા વિસ્તારમાં રહેતી પરિણીતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેનાં લગ્ન સમાજના રીતરિવાજ મુજબ આકાશ દેસાઈ સાથે થયાં હતાં. પરિણીતાને લગ્નજીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી છે.
વર્ષ ૨૦૧૮માં પિરણીતા અદાણી શાંતિગ્રામ ટાઉનશિપમાં રહેવા માટે ગઇ હતી ત્યારે તેના પતિને એક યુવતી સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો, જેથી પિરણીતાને પતિ અવારનવાર ઝઘડો કરી માર મારતો હતો.
પરિણીતાને પેટના ભાગે લાતો મારી હતી
નવેમ્બર-૨૦૧૯માં પરિણીતા તેનાં બંને બાળકો સાથે ઘરે સૂઈ રહી હતી ત્યારે મોડી રાતે તેનો પતિ તેમજ સાસુ-સસરા ઘરે આવ્યાં હતાં, જ્યાં તેના પતિએ કહ્યું કે તું મને ગમતી નથી, તારે હાલ જ બંને બાળકોને લઈ જ્યાં જવું હોય ત્યાં જતી રહે, પરંતુ પિરણીતાએ જવાની ના પાડતાં જ તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને ક્યાંકથી લોખંડની પાઇપ લઇ આવી પરિણીતાને સિઝેરિયન ઓપરેશન કરાવેલ તે ભાગ પર માર મારતાં તેના ટાંકા પણ તૂટી ગયા હતા તેમજ પરિણીતાને પેટના ભાગે લાતો મારી હતી.
પતિએ કહ્યું કે તું ઘર બહાર નીકળી જા, નહીં તો તને જાનથી મારી નાખીશ
આ સમયે તેનાં સાસુ-સસરાએ પરિણીતાને પકડી રાખી હતી અને પતિએ કહ્યું કે તું ઘર બહાર નીકળી જા, નહીં તો તને જાનથી મારી નાખીશ. પતિએ આમ કહી ધમકી આપી હતી. ત્યારબાદ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ તેના પિતાને કરતાં તેમણે દીકરીની પ્રાથમિક સારવાર કરાવી હતી. તે પછી સમાજના આગેવાનોને સાથે રાખી સમાધાન થતાં પરિણીતા ફરી તેના પતિ સાથે રહેવા લાગી હતી.
તું તારા પિયર જતી રહે
જોકે તેમ છતાં પણ તેના પતિની આ વર્તણૂક ચાલુ જ હતી. પરિણીતાના પિતાને હાર્ટએટેક આવતાં તેનાં બાળકોને લઈ ખબર કાઢવા માટે ગઈ હતી ત્યારે તેનો પતિ દરવાજે લોક મારી જતો રહ્યો હતો અને પરિણીતાને કહ્યું હતું કે મેં તને ઘરમાંથી કાઢી મૂકી છે, જેથી તું તારા પિયર જતી રહે. પતિ આમ કહી ત્રાસ આપતો હતો.