કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી શનિવારે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર લાઇવ થયાં હતા. આ દરમિયાન તેમણે લોકોના સવાલોના જવાબ આપ્યા હતા. ત્યારે એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના પહેલા અમે ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરી શકીએ છીએ, જો કે, ફ્લાઇટ શરૂ કરતા પહેલા દેશમાં કોરોના વાયરસની સ્થિતિનો તાગ મેળવાશે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી અને એરલાયન્સ કંપનીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનો ઇશારો
ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિના પહેલા શરૂ થઇ શકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ
ઉલ્લેખનીય છે કે, અગાઉ તેમણે જણાવ્યું હતું કે વંદે ભારત મિશન દ્વારા અત્યાર સુધીમાં 25 હજાર 465 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. મે મહિનાના અંત સુધીમાં આ આંકડો 50 હજારની નજીક થઈ જશે. લૉકડાઉન વચ્ચે 8,000 લોકોને ભારતમાંથી વિદેશ લઈ જવામાં આવ્યા હતા. આ લોકો વિદેશમાં નોકરી કરતા હતા. તેના કરતાં વધુ લોકો વિદેશ જવા ઇચ્છતા હતા, પરંતુ ઘણા દેશો એવા છે જે હાલમાં પોતાના નાગરિકોને લાવી રહ્યા છે. પુરીએ કહ્યું હતું કે, એવું ન માનવું જોઇએ કે જે મુસાફરોની આરોગ્યની સ્થિતિ સેતુ એપ પર ગ્રીન સ્ટેટસ જોવા મળી રહ્યું છે તેમને ક્વોરેન્ટાઇન થવાની જરૂર નથી.
33% ફ્લાઇટ્સ 25 મેથી શરૂ થશે, સારું બુકિંગ થયું છે
પુરીએ વધુમાં જણાવ્યું હતું કે, 33 33% ડોમેસ્ટિક ફ્લાઇટ્સ 25 મેથી શરૂ થઈ રહી છે. તાજેતરમાં જ આવેલા આંકડા અનુસાર, બુકિંગના પહેલા જ દિવસે ઘણા લોકોએ ટિકિટ લીધી છે. ફ્લાઇટ સર્વિસની ભારે માંગ છે. લોકડાઉન વચ્ચે મંત્રાલય દ્વારા લાઈફલાઈન ઉડાન શરૂ કરવામાં આવી હતી. આ શરૂ થવાથી દેશભરમાં હજારો ટન મેડિકલ ઉપકરણો અને અન્ય આવશ્યક સેવાઓનો સપ્લાઇ કરી શકાશે.
Thank you for joining me for the Facebook Live session.
I tried to address most of the thousands of questions that you put up.
A video recording of the entire session will also be uploaded soon on my website. I hope we are able to meet more often through these interactions. pic.twitter.com/aEo2wzXn0X
ડિમાન્ડ વધી જશે તો ફ્લાઇટની સંખ્યા વધારી દેવામાં આવશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે વિગતવાર એસઓપી જાહેર કરવામાં આવી છે. પ્રવાસીએ બે કલાક અગાઉ એરપોર્ટ પર પહોંચવું પડશે અને માસ્ક પહેરવું ફરજીયાત બનશે. બધાએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું ફરજીયાત છે. આ સાથે સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે કે તેમાં કોઈ લક્ષણો નથી, તો જ બોર્ડિંગ પાસ મળશે. તેમણે કહ્યું કે જો ડિમાન્ડ સારી રહી અને રાજ્યો સાથે સંકલન સારું રહેશે તો ટૂંક સમયમાં ડોમેસ્ટિક ઉડાનની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
25 મેથી શરૂ થશે ડોમેસ્ટિક ફ્લાઇટ
લૉકડાઉનને કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પાબંધી લાદવામાં આવી હતી. તાજેતરમાં જ સરકારે રેલવે સેવાની ફરીથી શરૂઆત કરી અને હવે ડોમેસ્ટિક ફ્લાઇટ પણ 25 મેથી સોમવારથી શરૂ થશે. આ અંગેની સૂચનાઓ તમામ એરપોર્ટને આપવામાં આવી છે. આ સાથે જ પ્રવાસીઓ માટે SOP પણ જાહેર કરવામાં આવી છે.
200 નોન એસી ટ્રેન શરૂ કરવાની પણ સરકારે કરી છે જાહેરાત
સરકાર દ્વારા ધીમે-ધીમે દેશના નાગરિકોને પ્રતિબંધમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે. જેમાં આગામી મંગળવારથી 200 નોન એસી ટ્રેન પણ શરૂ કરવાની જાહેરાત ગઇકાલે મોડી સાંજે રેલવે મંત્રી પીયુષ ગોયલે ટ્વીટ કરી છે. તેમણે જણાવ્યું કે, આગામી 1 જૂનથી ટાઇમ ટેબલ પ્રમાણે ટ્રેન ચાલશે.