નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ યાત્રા ફરીથી શરૂ કર્યા પહેલાં મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. પ્રથમ તબક્કામાં 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને હવાઈ યાત્રા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય મુસાફરો કેબીનમાં કોઈપણ પ્રકારની બેગ લઇને મુસાફરી કરી શકશે નહીં. જ્યારે ચેક-ઇન બેગ પણ માત્ર એક જ હશે. જેનું વજન 20 કિલોથી ઓછું હશે.
લોકડાઉનને કારણે 25 માર્ચથી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે
ત્યારે હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઈ યાત્રા પહેલાં મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી
યાત્રીઓએ આ નિયમોનું પાલન કરવું ફરજિયાત
લોકડાઉન પછી કમર્શિયલ ફ્લાઈટ સેવા ફરી શરૂ કરવાના પ્રથમ તબક્કામાં, કોવિડ -19 ને લગતી વિગતવાર પ્રશ્નાવલી ભરીને, કેબિનમાં સામાન નહીં લઈ જવાનું, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ અને ઍરપોર્ટ પર વિમાનના પ્રસ્થાનના સમયના ઓછામાં ઓછા બે કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવું ફરજિયાત કરી શકાય છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં કમર્શિયલ હવાઈ મુસાફરી સેવા ફરી શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (SOP) નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે અમલમાં મૂકાયેલા લોકડાઉનને કારણે 25 માર્ચથી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે. તમામ ડૉમેસ્ટિક ફ્લાઈટના મુસાફરો માટે આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં ગ્રીન હેલ્થ, વેબ ચેક-ઇન અને ટેમ્પરેચર ચેકનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ડ્રાફ્ટ કરાયેલા SOP અનુસાર, એક ઉડાન સમયે એક જ કેબિન અને કૉકપિટ કર્મીદળને લાંબા સમય સુધી રાખવા પર પણ વિચાર કરાયો છે જેથી તેમનામાં અંદરોઅંદર સંક્રમણનું જોખમ ઓછું રહે.
આ ફક્ત મુસાફરો માટે જ નહીં, પરંતુ સુરક્ષા એજન્સીઓ, એરપોર્ટ ઓપરેટરોના પાલન માટે પણ સૂચવવામાં આવ્યું છે. જેમાં એરપોર્ટ પ્રવેશદ્વાર પર ઓળખ કાર્ડની તપાસ ન કરવી અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવે. અન્ય સૂચનમાં મેડિકલ ઈમર્જન્સી ધરાવતા મુસાફરને સમાવવા માટે વિમાનની ત્રણ કતારોને ખાલી રાખવાનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરો સહિત તમામ પક્ષોની સલાહ લીધા બાદ એસઓપીનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે હોદ્દેદારો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ ડ્રાફ્ટ એસઓપીમાં સામાજિક અંતર જાળવવા વિમાનની મધ્ય સીટ ખાલી રાખવા વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. ઉડ્ડયન નિયમનકાર DGCAએ સૂચવ્યું હતું કે માર્ચમાં કમર્શિયલ ફ્લાઇટ સેવાઓ સ્થગિત થઈ તે પહેલાં જ મધ્યની સીટ ખાલી રાખવાનું સૂચન આપ્યું હતું.
તેમાં કહેવામાં આવ્યું છે કે, 'મુસાફરોને પ્રશ્નાવલી આપવી જોઈએ અને કોવિડ -19ના સંબંધમાં મુસાફરોની માહિતી અગાઉથી ભરવી જોઈએ અથવા તેઓ ક્વોરન્ટાઈનમાં રહેલા છે તો તેની સંબંધિત જાણકારી યાત્રા પહેલાં જ તેમાં ભરાવી દેવી જોઈએ. ડ્રાફ્ટ મુજબ છેલ્લાં એક મહિનામાં ક્વૉરન્ટાઈનમાં રહેલા કોઈ પણ યાત્રીને અલગથી બનાવેલી સુરક્ષા તપાસ એજન્સી પાસે જ મોકલવામાં આવે.
આ ડ્રાફ્ટમાં મુસાફરોના સામાન સંબંધિત મર્યાદા વિશે પણ જાગૃત રહેવું જોઈએ. તેઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર નોંધણી કરાવવી જોઈએ અને એરપોર્ટ પર અધિકૃત ટેક્સી દ્વારા જ પહોંચવું જોઈએ. મંત્રાલયે એવું સૂચન પણ કર્યું છે કે પેસેન્જર્સના શરીરના તાપમાન અથવા ઉંમર વગેરેને લીધે મુસાફરોને મુસાફરી કરવાની મંજૂરી ન હોય તેવા મુસાફરોને કોઈ વધારાના ચાર્જ વિના તારીખ બદલવાની છૂટ હોવી જોઈએ.