કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક આદેશ બહાર પાડીને જણાવ્યું કે 18 ઓક્ટોબરથી ઘરેલુ ફ્લાઈટ્સ તેની પૂરી ક્ષમતા સાથે ઉડાણ ભરી શકશે એટલે કે એરલાઈન્સ કંપનીઓ પુરા પ્રવાસીઓને બેસાડી શકશે. પ્રવાસીઓના બેસાડવા પરનો પ્રતિબંધ હટાવાયો છે.
18 ઓક્ટોબરથી પૂરી ક્ષમતા સાથે ઉડાણ ભરી શકશે ડોમેસ્ટિક ફ્લાઈટ
મંત્રાલયે જણાવ્યું કે શિડ્યુઅલ ડોમેસ્ટિક ઓપરેશન અને તેની સામે પેસન્જર ડિમાન્ડની હાલની માગની સમિક્ષા બાદ 18 ઓક્ટોબરથી કોઈ પણ જાતના ક્ષમતા પ્રતિબંધ વગર શિડ્યુઅલ ડોમેસ્ટિક એર ઓપરેશનને પુર્વવત કરવાનો નિર્ણય લેવાયો છે.
કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે સરકારે ફ્લાઇટ્સમાં કેપેસિટી કેપ્સ (કેપેસિટી કેપ્સ) દૂર કરવાનો નિર્ણય લીધો છે. ઉદાહરણ તરીકે, વિમાન હવે સંપૂર્ણ ક્ષમતાથી ઉડાન ભરશે, જે 18 ઓક્ટોબરથી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે 23 માર્ચ, 2020થી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ મે 2020થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે.