પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદની સાથે સાથે ઝડપી પવનથી ગુરુદ્વારા કરતારપુર સાહેબમાં ઘણું નુકશાન થયું છે. મળતી માહિતી મુજબ ગુરુદ્વારાના ઘણા ગુંબજોને નુંકશાન થયુ છે અને કેટલાક તો તુટીને નીચે પડી ગયા છે. હવે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ ગુંબજોના પુનઃનિર્માણમાં લોખંડ અને સિમેન્ટની જગ્યાએ ફાયબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કરતારપુરમાં ખરાબ વાતાવરણને કારણે ગુરુદ્વારાને નુકશાન
આ ઘટનાને કારણે કરતારપુર કોરિડોર અને ગુરુદ્વારાના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રીની ગુણવત્તા પર સવાલ ઉભા થયા હતા. આ ઘટના પર પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે આ મામલાને ધાર્મિક બાબતોના મંત્રી નૂક ઉલ હક કાદરીની સામે ઉઠાવવામાં આવ્યા છે. તેમની પાસે ઘટનાક્રમની તાત્કાલીક તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નુકસાનની માહિતી મંત્રાલયે લીધી છે. ફ્રેંટિયર વર્ક્સ ઓર્ગેનાઈઝેશન(એફડબ્લ્યૂઓ)ને ખંડિત ગુંબજોનું તાત્કાલીક સમારકામ કરવાની જવાબદારી આપવામાં આવી છે. સત્તાવાર સૂત્રોનું કહેવું છે કે કામ 48 કલાકમાં પુરુ કરવામાં આવે છે.
દિલ્હી- એનસીઆરમાં હવામાનમાં પલ્ટો
દિલ્હી- એનસીઆરમાં ધૂળની ડમરીઓ અને પવન સાથે ભારે વરસાદ થઈ છે. દિલ્હીના કેટલાય વિસ્તારોમાં ઝડપી આંધીને જોવા મળી હતી. ગ્રેટર નોઈડામાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. ગાઝિયાબાદમાં પણ વરસાદ થતા દિલ્હીના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં વાતાવરણના પલટાને લીધીતાપમાન 37.3 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ.