નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં દિલ્હીની બોર્ડર પર લગભગ છેલ્લા બે મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
ખેડૂતોની મદદે આવી પંજાબ સરકાર
કેપ્ટન અમરિન્દર સિંહે કરી મોટી જાહેરાત
મૃતકોના પરિવારજનોને આપશે નોકરી અને 5 લાખનું વળતર
છેલ્લા બે મહિનાથી કિલહીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 11 માં રાઉન્ડની વાતચીત પછી પણ ઉકેલ આવ્યો નથી એટલે મોદી સરકારએ ખેડૂતોને આજે કહી દઇશું કે આ પ્રસ્તાવ પછી હવે આગળ કોઈ વાતચીત થઈ શકશે નહીં, પરંતુ ખેડૂતોની આ સમસ્યા વચ્ચે હવે પંજાબ સરકાર તેમની મદદે આવી છે અને સરકારએ મોટું એલાન કરતાં કહ્યું છે કે આ આંદોલનમાં જે પણ ખેડૂતો મરણ પામ્યા છે તેમના પરિવારના એક એક સભ્યને સરકારી નોકરી અને પાંચ પાંચ લાખ રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે.
11 રાઉન્ડની થઈ હતી વાતચીત
મહત્વનું છે કે ખેડૂત આંદોલનના નિકાલ માટે સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 11 રાઉન્ડ જેટલી વાટાઘાટો યોજાઇ ગઈ છે, પરંતુ આ મડાગાંઠનો ઉકેલ આવી શકયો નથી અને આજે પણ ખેડૂતોએ સરકારના નવા કાયદાઓના અમલને સ્થગિત દોઢ વર્ષ સુધી રાખવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. જેના પછી આ આંદોલનના સમાધાનની શક્યતાઓ હવે થોડી ઝાંખી થઇ ગઈ છે.
નોંધનીય છે કે પંજાબમાં કોંગ્રેસની સરકાર છે જેનું નેતૃત્વ કેપ્ટ્ન અમરિન્દર સિંહ કરી રહયા છે, મહત્વનું છે કે પંજાબ સીએમ અને તેમની કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ ખેડૂતોના આંદોલનને સમર્થન આપી રહયા છે અને આ કાયદાને કાળા કાયદા ગણાવીને મોદી સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ પહેલા આ આંદોલનકારીઓને મદદ કરવા માટે પંજાબ સરકાર દ્વારા ડોકટરો અને નર્સને પણ આંદોલનકારીઓની સહાયતા માટે મોકલવામાં આવ્યા હતા, અને આ વખતે વધુ એક વાર આ જાહેરાત દ્વારા પંજાબ સરકાર ખેડૂતોની મદદ કરી રહી છે.