દુનિયાના તમામ ધર્મમાં ઉપવાસનું મહત્વ છે. આયુર્વેદમાં પણ ઉપવાસની આરોગ્ય પર અસર અંગે ઘણુંબધું લખાયું છે. ઉપવાસ પર દુનિયાભરમાં અનેક સંશોધનો થયા છે. જેમાં એવું તારણ બહાર આવ્યું છે કે એકાંતરે કરાતા ઉપવાસ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ઉપવાસનો અર્થ માત્ર એક જમવું કે આખો દિવસ ભુખ્યા રહેવું તે છે.
દુનિયાના તમામ ધર્મમાં ઉપવાસનું મહત્વ છે
જે લોકો નિયમિત રીતે ઉપવાસ કરતાં હોય છે તેમનું હાર્ટ ફેઇલ થવાનો ખતરો બહુ ઓછો થઇ જાય છે
બાળકોએ ઉપવાસ ન કરવા જોઇએ તેમજ વૃધ્ધ લોકોએ પણ એકાંતરા ઉપવાસ ડોકટરની સલાહ વિના ન કરવા જોઇએ
હાર્ટના દર્દીઓ જો એકાંતરા ઉપવાસ કરે તો તેમને અચાનક હાર્ટ ફેઇલ થવાની શકયતા એકદમ ઘટી જાય છે
ઢગલો ફરાળ કરીને કરાતા ઉપવાસની વાત નથી. એકાંતરા ઉપવાસ ખાસ કરીને હાર્ટના દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે અને તેઓ લાંબુ જીવી શકે છે. આ સિવાય જે લોકો નિયમિત રીતે ઉપવાસ કરતાં હોય છે તેમનું હાર્ટ ફેઇલ થવાનો ખતરો બહુ ઓછો થઇ જાય છે. અમેરિકના સાલ્ટ લેક સિટી-ઉત્તાહની ઇન્ટરમાઉન્ટેન હેલ્થકેર હાર્ટ ઇન્સ્ટિટયુટના નવા સંશોધન મુજબ હાર્ટના દર્દીઓ જો એકાંતરા ઉપવાસ કરે તો તેમને અચાનક હાર્ટ ફેઇલ થવાની શકયતા એકદમ ઘટી જાય છે.
ઉપવાસની સીધી અસર હિમોગ્લોબિન,સોડિયમ,ગ્રોથ હોર્મોન્સ અને રક્તકણો પર થાય છે.
સંશોધન માટે બે હજાર દર્દીઓની લાઇફસ્ટાઇલનો અભ્યાસ કરાયો હતો. ઉપવાસની સીધી અસર હિમોગ્લોબિન,સોડિયમ,ગ્રોથ હોર્મોન્સ અને રક્તકણો પર થાય છે. ઉપવાસ દરમિયાન શરીરમાં કિટોસીસ તરીકે ઓળખાતી પ્રક્રિયા વધે છે. કિટોસીસ એટલે શરીર ઉર્જા માટે ચરબી એટેલ કે ફેટને બાળે છે. તેનાથી શરીરના કોષો પણ સારી રીતે કામ કરે છે.જોકે સંશોધકો કહે છે કે સગર્ભા મહિલાએ ઉપવાસ ન કરવા જોઇએ.
બાળકોએ ઉપવાસ ન કરવા જોઇએ તેમજ વૃધ્ધ લોકોએ પણ એકાંતરા ઉપવાસ ડોકટરની સલાહ વિના ન કરવા જોઇએ
બાળકોએ ઉપવાસ ન કરવા જોઇએ તેમજ વૃધ્ધ લોકોએ પણ એકાંતરા ઉપવાસ ડોકટરની સલાહ વિના ન કરવા જોઇએ. આ ઉપરાંત હાર્ટની બિમારી ઉપરાંત ડાયાબિટિશ અને બલ્ડપ્રેશરની સમસ્યાવાળા દર્દીઓએ પણ ઉપવાસ કરવા હોય તો ડોકટરની સલાહ અચુક લેવી જોઇએ. સામાન્ય સ્વસ્થ અન્ય લોકો પોતાને અનુકુળ આવે તે રીતે ઉપવાસ કરી શકે છે.
એકાંતરા ઉપવાસનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે
એકાંતરા ઉપવાસનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. ઉપવાસનો અર્થ છે કે શરીરમાં ઓછી કેલેરી જાય છે. તેનાથી શરીરનનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયામાં 4થી 14 ટકા સુધીનો વધારો થાય છે. ઉપવાસથી શરીરની એજિંગ પ્રોસેસ પણ ધીમી પડે છે. તેથી વૃધ્ધાવસ્થા પણ પાછી ઠેલાય છે. નિયમિત રીતે કરાતા ઉપવાસથી કેન્સર થવાનું જોખમ પણ ઘટે છે. મગજની કાર્યક્ષમતા વધવા ઉપરાંત બ્રેઇન સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થાય છે.