મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કનાં ચિત્તાઓને શિકારીઓથી બચવા માટે પ્રોફેશનલ ટ્રેનીંગ માટે કૂતરાઓનો ઉપયોગ કરવામાં આવશે. જાણો વિગતવાર
ચિત્તાઓને શિકારી હુમલાથી બચાવવા માટે કુતરાઓને અપાઈ રહી છે ટ્રેનીંગ
કુલ 6 કુતરાઓ લઇ રહ્યા છે ટ્રેનીંગ
આ પહેલા હાથીઓને તૈનાત કરવામાં આવ્યા હતા
ચિત્તાઓને શિકારી હુમલાથી બચાવવા માટે કુતરાઓને અપાઈ રહી છે ટ્રેનીંગ
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કનાં ચિત્તાઓને શિકારીઓથી બચવા માટે પ્રોફેશનલ ટ્રેનીંગ માટે કૂતરાઓનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે પાંચ વર્ષના જર્મન શેફર્ડને ટ્રેનીંગ અપાઈ રહી છે. ઇલુ નામના આ જર્મન શેફર્ડને ભારત-તિબ્બત સીમા પોલીસ બળ (ITBP) ટ્રેનીંગ આપી રહ્યું છે. ઇલુની ટ્રેનીંગ રાષ્ટ્રીય કુતરાના પ્રશિક્ષણ કેન્દ્રમાં ચાલી રહી છે. ટ્રેનીંગ બાદ ઇલુ સહીત ઘણા કુતરાઓને મધ્યપ્રદેશનાં 'સુપર સ્નિફર ટુકડીમાં સામેલ કરવામાં આવશે.
#WATCH | Haryana: German Shepherds getting trained at Indo-Tibetan Border Police Force's (ITBP) National Training Centre for Dogs in Panchkula to be deployed in Madhya Pradesh's Kuno National Park to protect the recently released Namibian cheetahs from poachers. pic.twitter.com/emVv7qgcbW
ટ્રેનીંગથી શું ફાયદો?
મળેલી જાણકારી અનુસાર, ઇલુ સાથે કુલ 6 કુતરાઓને ટ્રેનીંગ આપવામાં આવશે. આ કુતરાઓને એપ્રિલથી જંગલોમાં નિયુક્ત કરવામાં આવશે. એપ્રિલ સુધી ઇલુ સહીત બધા કુતરાઓને ટ્રેનીંગ આપવામાં આવશે. ટ્રેનીંગ બાદ આ કુતરાઓ આજ્ઞાકારિતા, સૂંઘવા અને ટ્રેકિંગ કૌશલ્યમાં કુશળતા પ્રાપ્ત કરી લેશે.
ટ્રેનીંગ દરમિયાન કુતરાઓને વાઘ અને ચિત્તાની ચાલ, હાડકાઓ, હાથીના દાંત અને શરીરનાં અન્ય અંગો, રીંછ પિત્ત, રેડ સેન્ડર્સ અને ઘણા અન્ય વન્ય જીવ ઉત્પાદકોની જાણકારી મેળવવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે, જેથી તેઓ જંગલમાં કોઈપણ ગેરકાનૂની ગતિવિધિની જાણકારી મેળવવામાં સહાયક સાબિત થઇ શકે.
આ પહેલા હાથીઓને તૈનાત કરવામાં આવ્યા હતા
વન પ્રબંધને આ પહેલા ચિત્તાઓની સુરક્ષા માટે સતપૂડા ટાઈગર રીઝર્વનાં બે હાથીઓ ૪૧ વર્ષીય સિદ્ધનાથ અને 10 વર્ષીય લક્ષ્મીને ગયા મહિનાથી વિશેષ પ્રશિક્ષણ આપીને પાર્કમાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ બંને હાથી ચિત્તાની ચોકીદારી સાથે તેમની આસપાસ કોઈ હિંસક પશુને પણ ભટકવાથી અટકાવશે.
રીપોર્ટસ અનુસાર, સતપૂડા ટાઈગર રીઝર્વનાં આ બંને હાથીઓને કોઈપણ વન્ય પ્રાણીને કાબૂ કરવા, પેટ્રોલિંગ કરવા તથા રેસ્ક્યૂ ઓપરેશનમાં કુશળતા હાસેલ છે. લક્ષ્મી તથા સિદ્ધનાથની આ આવડતને ધ્યાનમાં રાખતા તેમને એક પખવાડિયા પહેલા કૂનો પહોંચાડવામાં આવ્યા હતા. અહીં તેમને ચિત્તાને ક્વોરંટિન રાખવા માટે બનાવવામાં આવેલા વિશેષ વાડા પાસે તૈનાત કરવામાં આવ્યા છે.