તંત્ર દ્વારા શહેરમાં ફરીથી સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલને સર્વેની કામગીરી માટે રૂ.૧.૬૦ લાખનો કોન્ટ્રાકટ અપાયો છે. આ સંસ્થાની ટીમ દ્વારા સવારે ૭ થી ૮ વચ્ચે બાઇક પર ફરીને જે તે માન્ય વોર્ડમાં રખડતાં કૂતરાંની ગણતરી કરાઇ રહી છે. શહેરનાં બોડકદેવ, ઘાટલોડિયા, વાસણા, ગોતા, ચાંદખેડા-મોટેરા, બહેરામપુરા, નરોડા, કુબેરનગર, અસારવા, દૂધેશ્વર, ભાઇપુરા-હાટકેશ્વર અને નિકોલ એમ કુલ ૧૪ વોર્ડમાં છેલ્લા ૧પ દિવસથી રખડતાં કૂતરાંનો ટોકન સર્વે ચાલી રહ્યો છે.
અમદાવાદઃ શહેરીજનો રસ્તા પર રખડતાં ઢોરની સાથે સાથે રખડતાં કૂતરાંથી પણ ત્રાસી ગયા છે. એક અંદાજ પ્રમાણે રોજ ૩૦૦ રખડતાં કૂતરાં નાગરિકોને બચકાં ભરી લોહીલુહાણ કરે છે. તંત્ર દ્વારા રખડતાં કૂતરાંનાં ખસીકરણ અને રસીકરણ પાછળ લાખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે તેમ છતાં તેનો આતંક યથાવત રહ્યો છે. શહેરમાં રખડતાં કૂતરાનાં સર્વેની કામગીરી બે વર્ષ બાદ હાથ ધરાઇ છે.
અગાઉ શહેરમાં વર્ષ ર૦૧૦માં રખડતાં કૂતરાંનો સર્વે હાથ ધરાયો હતો જે મુજબ અમદાવાદમાં ર,૧૦,૮પર રખડતાં કૂતરાં હતાં. હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ દ્વારા જ શહેરમાં રખડતાં કૂતરાંનો સર્વ પ્રથમ સર્વે હાથ ધરાયો હતો. ત્યારબાદ વર્ષ ર૦૧૭માં ગોલ ફાઉન્ડેશનના સર્વે મુજબ શહેરમાં ૧,૪૮,૪૬૭ કૂતરાં નોંધાયાં હતાં. એટલે કે, વર્ષ ર૦૧ર થી ર૦૧૭ દરમ્યાનનાં પાંચ વર્ષના સમયગાળામાં શહેરમાં ખસીકરણની કામગીરીથી ૬ર,૩૮પ કૂતરાંની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું તંત્રનો દાવો હતો.
હવે તંત્ર દ્વારા ફરીથી સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલને સર્વેની કામગીરી માટે રૂ.૧.૬૦ લાખનો કોન્ટ્રાકટ અપાયો છે. આ સંસ્થાની ટીમ દ્વારા સવારે ૭ થી ૮ વચ્ચે બાઇક પર ફરીને જે તે માન્ય વોર્ડમાં રખડતાં કૂતરાંની ગણતરી કરાઇ રહી છે. શહેરનાં બોડકદેવ, ઘાટલોડિયા, વાસણા, ગોતા, ચાંદખેડા-મોટેરા, બહેરામપુરા, નરોડા, કુબેરનગર, અસારવા, દૂધેશ્વર, ભાઇપુરા-હાટકેશ્વર અને નિકોલ એમ કુલ ૧૪ વોર્ડમાં છેલ્લા ૧પ દિવસથી રખડતાં કૂતરાંનો ટોકન સર્વે ચાલી રહ્યો છે. જે એક મહિનામાં પૂર્ણ થશે.