માનવ માટે સદા વફાદાર રહેતા શ્વાનને ઘરમાં આશરો આપનાર મિલ્લતનગરના એક મુસ્લિમ પરિવાર સામે સ્થાનિક રહીશોએ વાંધો ઉઠાવતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. માંદા શ્વાન તેમજ તેનાં ગલૂડિયાંને ઘરમાં નહીં રાખવાના મામલે સ્થાનિક રહીશોએ પરિવારજનો સમક્ષ અનેક વખત રજૂઆત કરી હતી, જોકે પરિવારજનોએ રહીશોની વાત નહીં સાંભળતાં ઘરમાં બે શ્વાન તેમજ એક ગલૂડિયાને આશરો આપ્યો હતો.
પરિવારે શેરીના શ્વાન અને ગલૂિડયા પ્રત્યે પ્રેમ દાખવીને જીવદયાનું કામ કરીને તેમના ઘરમાં આશરો આપતાં રહીશોનો વિરોધ વધુ ઉગ્ર બનતાં પોલીસની મદદ લીધી હતી. શ્વાને પાંચ ગલૂિડયાંને જન્મ આપતાં સ્થાનિકોએ તમામને કચરાપેટીમાં ફેંકી દીધાં હતાં, જેમાં આ પરિવારે એક ગલૂિડયાને બચાવી લીધું હતું.
ઇસનપુર વિસ્તારમાં આવેલ મિલ્લતનગરમાં શબીહા પઠાણ તેમના પરિવાર સાથે રહે છે. ગઇ કાલે અચાનક તેમના ઘરમાં ઇસનપુર પોલીસ તેમજ આસપાસની મહિલાઓ આવી પહોંચી હતી અને ઘરમાં શેરીના શ્વાન હટાવવા માટેનું અિલ્ટમેટમ આપવા માટે આવ્યું હતું.
નહીં તો ઘર ખાલી કરી દેવાનું કહ્યું હતું. શબીહા અને તેમનો પરિવાર જીવદયાપ્રેમી હોવાથી તેમના ઘરમાં શેરીના શ્વાનને રહેવા માટે આશરો આપ્યો છે, જે મિલ્લતનગરના રહીશોને પસંદ નથી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મિલ્લતનગરમાં એક શ્વાને પાંચ ગલૂિડયાંને બે મહિના પહેલાં જન્મ આપ્યો હતો. ગલૂિડયાંનો જન્મ થતાં મિલ્લતનગરના કેટલાક લોકોએ તમામને કચરાપેટીના ડબ્બામાં નાખી દીધાં હતાં. આ વાતની જાણ શબીહા અને તેમના પરિવારને થતાં તેઓ ગલૂિડયાં લેવા માટે ગયાં હતાં, જ્યાં માત્ર એક ગલૂિડયું મળી આવ્યું હતું.
શબીહા તે ગલૂિડયા તેમજ તેની માતા અને અન્ય એક શ્વાનને પોતાના ઘરમાં લાવ્યાં હતાં, જ્યાં તમામને રહેવા માટે આશરો આપ્યો હતો, જેને લઇ મિલ્લતનગરના લોકો તેમના પર ઉશ્કેરાયા હતા. અવારનવાર શ્વાનને હટાવવા માટે સ્થાનિકોએ શબીહા તથા તેના પરિવારનો જાણ કરી હતી, જોકે તેઓએ સ્થાનિકોની વાત નહીં માનતાં ગઇ કાલે પોલીસ બોલાવી હતી. ઇસનપુર પોલીસને લઈ મહિલાઓ તેમના ઘરમાં પહોંચી હતી અને શ્વાનને હટાવી દેવા માટે ૨૪ કલાકનું અિલ્ટમેટમ આપ્યું હતું.
આ જ પરિવાર જ્યારે ૧૪ જાન્યુઆરીએ એક શ્વાન કે જે શેરીમાં ફરતું હતું તેના પેટના ભાગ પર બાઇક ચડાવી દેતાં તેના પ્રત્યે સંવેદના દાખવી તેની સારસંભાળ લેતા હતા તે તેમના માટે નુકસાનકારક સાબિત થયેલ, કેમ કે તેમના પરિવાર પર હુમલો કરીને પોતાનું ઘર છોડીને જતા રહેવાની ધાકધમકી આપી હતી.