પંચમહાલના હાલોલમાં શ્વાનોના ટોળાએ હુમલો કરી 5 વર્ષના બાળકને કરી નાંખ્યો લોહીલુહાણ. હાલ વડોદરાની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર.
હાલોલમાં રખડતા શ્વાનનો આતંક
ચારથી પાંચ શ્વાને નાના બાળક પર કર્યો હુમલો
ઈજાગ્રસ્ત બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગુજરાતમાં ફરી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં રખડતા કૂતરાઓના ટોળાઓએ 5 વર્ષના માસૂમ પર હુમલો કર્યો હતો. કૂતરાના કરડવાથી બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. હાલ બાળકની વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બચકાં ભરીને બાળકને કરી દીધો લોહીલુહાણ
મળતી માહિતી અનુસાર, પંચમહાલના હાલોલના બસ સ્ટેન્ડ પાસે આજે સવારે રખડતા 4થી 5 શ્વાનોના ટોળાએ 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. કૂતરાઓએ બાળકને બચકાં ભરી ભરીને લોહીલુહાણ કરી દીધો હતી.
તાત્કાલિક ખસેડ્યો હોસ્પિટલમાં સારવાર માટે
દેકારો સાંભળતાં આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાળકને છોડાવ્યો હતો. બાળકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે બાળકને વડોદરા ખાતે ખસેડવાની ફરજ પડી હતી.