સ્વિગી કર્મચારીના બાઈકની ટક્કર વાગતા એક કૂતરાનું મોત નિપજ્યું છે. જેને લઈને મુંબઈ પોલીસે બેદરકારીથી વાહન ચલાવવાના આરોપમાં કેસ નોંધ્યો છે. જે કેસને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
સ્વિગી કર્મચારીના બાઈકની ટક્કર વાગતા એક કૂતરાનું મોત નિપજ્યું હતું
મુંબઈ પોલીસે વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો
કોર્ટે મુંબઈ પોલીસને રૂ.20 હજારનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો
મુંબઈ હાઈકોર્ટે માર્ગ અકસ્માતમાં કૂતરાના મોતને લઈને એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે કુતરા અને બિલાડી એ માણસ નથી, અકસ્માતમાં તેઓની મોત પર સબંધિત વ્યક્તિ સામે એફઆઈઆર નોંધાઈ ન શકે. આ મામલામાં સ્વિગીનાં ડીલીવરી કર્મીને રાહત આપતા કોર્ટે મુંબઈ પોલીસને કહ્યું કે એને રૂ.20 હજારનું વળતર ચૂકવવા કહ્યું.
આરોપી વિરૂદ્ધ કલમ 279 અને 337 મુજબ ગુનો નોંધી શકાય નહી: કોર્ટ
સ્વિગી કર્મીની બાઈકની ટક્કર વાગવાથી કૂતરાનું મોત નિપજ્યું હતું. જેને લઈને મુંબઈ પોલીસે બેદરકારીથી વાહન ચલાવવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. જેને આરોપીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે કુતરૂ અને બિલાડીને તેના માલિક ખૂબ જ પ્રેમથી પાળે છે. તેઓ તેને ઘરનાં એક સદસ્ય માને છે. પરંતું વિજ્ઞાન અનુસારે તે માણસ નથી. એવામાં જો બેદરકારીથી વાહન ચલાવવાથી કૂતરાનું મોત નિપજે છે તો આ મામલામાં આરોપી વિરૂદ્ધ કલમ 279 અને 337 મુજબ ગુનો નોંધી શકાય નહી.
હાઈકોર્ટે પોલીસ કર્મીને ઠપકો આપ્યો
હાઈકોર્ટે કહ્યું કે કંઈપણ વિચાર્યા વગર સ્વિગીના કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધવાને લઈને મુંબઈ પોલીસને ઠપકો આપ્યો હતો અમે મહારાષ્ટ્ર સરકાર પીડીતને રૂ.20 હજારનું વળતર ચૂકવવા કહ્યું. હાઈકોર્ટે કહ્યું કે કલમ 279 બેદરકારીથી વાહન ચલાવવા સબંધિત છે. જ્યારે 337 બીજાનાં જીવનને અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવાનું કૃત્યથી કોઈને નુકશાન થાય તેના પર લગાવવામાં આવે છે. પરંતું આ મામલામાં આ લાગુ થશે નહી.
જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે આરોપી સ્વિગી કર્મચારી સામેની એફઆઈઆર રદ્દ કરતી વખતે સરકારને તેને વળતર ચૂકવવા જણાવ્યું હતું. આ ચૂકાદો 20 ડિસેમ્બરનાં રોજ સંભળાવવામાં આવ્યો હતો. તેનો વિગતવાર આદેશ આ અઠવાડિયે જારી કરવામાં આવ્યો.