આજે 28 સપ્ટેમ્બર એટેલે વિશ્વ રેબિઝ દિવસ. આ બિમારી ખરેખરમાં કોરોના કરતા પણ ગંભીર છે ત્યારે જાણો તેના લક્ષણો અને બિમારીથી બચવાના ઉપાયો વીશે વીગતવાર માહિતી
મોટા ભારે કુતરુ કરડવાથી થાય છે હડકવાની બિમારી
જાનવર કરડે તે ઘાને 10 થી 15 મિનીટ ધોવાનું રાખજો
24 કલાકમાં રેબીઝની વેક્સિન લેવી જરૂરી
28 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરામાં રેબીઝ દિવસ મનાવામાં આવે છે. આ દિવસ મનાવાનો મતલબ એજ છે કે રેબીઝ પર કંટ્રોલ કરીને તેને લઈને લોકો સુધી જાગૃતતા પહોચાડવામાં આવે. રેબીઝ એક જૂનોટિક બીમારી છે જે જાનવરોમાંથી માણસમાં ફેલાય છે. ગુજરાતી ભાષામાં આપણે તેને હડકવા તરીકે ઓળખીએ છે.
કુતરુ કરડવાથી થાય છે આ બિમારી
આપને જણાવી દઈએ કે હડકવાની બિમારી મોટા ભાગે કુતરુ કરડવાને કારણે થાય છે. 2007માં 28 સપ્ટેમ્બરના રોજ વિશ્વ રેબીઝ દિવસ મનાવામાં આવ્યો હતો. ત્યારે આજે અમે તેમને આ રોગ વીશે અને રોગના લક્ષણો વીશે સંપૂર્ણ માહિતી આપીશું.
શ્વાસ લેવામાં ભારે તકલીફ
આ રોગમાં દર્દીને શરૂઆતમાં તાવ આવતો હોય છે. તેને ભૂખ નતી લાગતી, શરીરમાં અશક્તિ આવી જાય છે. સાથેજ વ્યક્તિ ચિડચિડો થઈ જતો હોય છે. જે જગ્યાએ જાનવરે કરડ્યું હોય ત્યા ભારે દુખાવો થાય છે. સાથેજ બળતરા પણ થાય છે. પાણી થી દર્દીવે ડર લગવા લાગે છે. જેને હાઈડ્રોફોબિયા કહે છે. જે દર્દીઓમાં રેબિઝ જોવા મળે તે લોકાના શરીરમાંથી લાળ પણ ટપકવા લાગે છે. તેનું વ્યવહાર આક્રમક થઈ જાય છે. સાથેજ તે ક્યારેય ઉંઘતો નથી અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે.
24 કલાકમાં વેક્સિન લેવી જરૂરી
આપને જણાવી દઈએ કે રેબીસને રોકવા માટે જ્યારે કોઈ જાનવર તમને કરડે ત્યારે તે ઘાને 10 થી 15 મીનીટ ધોવાનું રાખજો. તેના પર એન્ટીસેપ્ટીંક ક્રીમ કે આફ્ટર શેવ લોશન પણ તમે લગાવી શકો છો. આવું કરવાથી જાનવરની લાળમાં જે વાયરસ હશે તેની માત્રા આપણા શરીરમાંથી ઓછું થઈ જશે. બીજુ કે જ્યારે જાનવર કરડે ત્યારે 20 થી 24 કલાકમાં રેબિસની વેક્સિન લેવી પણ ઘણી જરૂરી છે.
પાલતુ જાનવરોના ચાટવાથી પણ રેબીઝ થઈ શકે છે.
આપને જણાવી દઈએ કે જાનવરો કરડે તોજ રેબીઝ થાય એવું નથી ગણી વખત પાલતું જાનવરોના ચાટવાને કારણે પણ રેબીઝ થઈ શકે છે. રેબીધથી બચવા માટે પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ વેકેસિન આપવામા આવે છે. આ વેક્સિન લોકોને નિશુલ્ક આપવામાં આવે છે. જેનાથી શરીરમાં રેબીઝ વાયરસના વિકાસને રોકવામાં આવતો હોય છે.
6 થી 10 દિવસમાં દર્દીનું મોત
ઉલ્લેખનીય છે કે સંક્રમિત જાનવર જ્યારે વ્યક્તિને કરડે ત્યારે દર્દી બેભાન થઈ જાય છે સાથેજ તેને હ્રદય સંબંધી સમસ્યા પણ રહેતી હોય છે. એક રિપોર્ટ અનુસાર રેબીઝ જે પણ વ્યક્તિને થાય છે. તેનું 6 થી 10 દિવસમાં મોત થઇ જાય છે.