કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તમારા જીવનમાં ઘણી વસ્તુઓને નક્કી કરે છે. જો જીવનમાં ખુશી આવે તો તમારે કુંડળીમાં પોતાના ગ્રહોની સ્થિતિ અને દશા પર નજર રાખીને કામ કરવુ જોઈએ. પ્રાણીઓને પાળતા પહેલા પણ ગ્રહોની સ્થિતિનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
પ્રાણીઓને પાળતા પહેલા પણ ગ્રહોની સ્થિતિનુ ધ્યાન રાખવુ જરૂરી
અમુક લોકોના જીવનમાં શ્વાન પાળવાના કારણે આવે છે મુશ્કેલી
કુંડળીમાં કેતુની સ્થિતિ જોઇને શ્વાન પાળવુ જોઈએ
કેટલાંક લોકોને શ્વાન પાળવાથી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે
ઘણા લોકોને શ્વાન પાળવાનો ખૂબ શોખ હોય છે. આજકાલ નવી–નવી પ્રજાતિઓને શ્વાન પાળવાનો ક્રેજ છે. ખાસ કરીને યુવા વર્ગ શ્વાન-બિલાડી જેવા પ્રાણીઓ પાળવાના મોટા શોખીન છે. પોતાના શ્વાન સાથે ઘણા લોકોને અત્યંત પ્રેમ હોય છે કે તેમને પોતાના સભ્યોની જેમ રાખે છે. આવા પાલતુ પ્રાણીઓ ઘણા ઘરમાં રોનક અને ખુશી ભરી દે છે. શ્વાનના કારણે ઘરમાં ભલે રોનક આવે, પરંતુ અમુક લોકોના જીવનમાં શ્વાન પાળવાના કારણે જીવનમાં મુશ્કેેલીઓનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ મુજબ કેટલાંક લોકોને શ્વાન પાળવાથી પરેશાની થઇ શકે છે. માન્યતાઓ મુજબ શ્વાનને કેતુ ગ્રહ સાથે જોડવામાં આવે છે. તેથી પોતાની કુંડળીમાં કેતુની સ્થિતિ જોઇને શ્વાન પાળવો જોઈએ. નહીંતર ધન અને જીવન સાથે જોડાયેલી મુશ્કેલીઓ થઇ શકે છે.
આવા લોકો શ્વાન ના પાળે
જો કોઈની જન્મકુંડળીમાં કેતુ ગ્રહ અશુભ સ્થિતિમાં છે અથવા પછી કેતુ લગ્નમાં સ્થિત હોય તો આવા લોકોને શ્વાન પાળવાથી નુકસાન થઇ શકે છે. જ્યોતિષ મુજબ જો કેતુ ખરાબ સ્થિતિમાં છે તેમ છતા તમે શ્વાન પાળો છો તો જીવનમાં અનેક પરેશાનીઓ આવી શકે છે. આવા લોકોએ શ્વાન પાળવાના કારણે આર્થિક મુશ્કેલીઓ અને ઘરમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. આવા જાતકોએ શ્વાન ના પાળવુ જોઈએ.
આવા લોકો માટે શુભ હોય છે શ્વાન
જો કુંડળીમાં કેતુ ગ્રહ સારી સ્થિતિમાં હોય તો આવા જાતકો માટે શ્વાન પાળવુ શુભ માનવામાં આવે છે. જો કેતુ પોતાના મિત્ર ગ્રહોની સાથે હોય તો તેને પાળવુ શુભ હોય છે. આવી કુંડળીવાળા જાતકોને શ્વાન પાળવાથી ઘણા લાભ થઇ શકે છે. કેતુનો મિત્ર ગ્રહોની સાથે હોવુ શરીરને સ્વસ્થ રાખે છે. આવા કુંડળીવાળા જાતકો જો શ્વાનને પાળે તો જીવનમાં સફળતાના દરવાજા ખુલવા લાગે છે અને જીવનમાં ખુશી આવે છે.