આજકાલનાં ઘોંઘાટભર્યા સમયમાં અડધી રાત્રે આપણી ઊંઘ ખૂલી જાય છે અને જલદી નિદ્રાધીન થઈ શકતા નથી.
રાત્રે ઉંઘ ઉડી જાય છે?
ઉંઘ ઉડી જવાના ઘણા કારણો છે
વાદળી પ્રકાશથી રહો દુર
આપણા બાકી કામો, નાણાકીય તંગી સહિતના અનેક સવાલો આપણા મગજને ઝંઝોળી મૂકી છે. પરંતુ, આ સમસ્યાનો પણ ઉકેલ શક્ય છે.
સ્ટ્રેસ ઘટાડવા અને આરામ મેળવવા તેમજ શરીરને હલકું બનાવવા ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા અસરકારક સાબિત થાય છે. અડધી રાત્રે ઊંઘ ખુલ્યા બાદ પેટ પર હાથ મૂકી આંખો બંધ કરી નાકથી ધીમો ઊંડો શ્વાસ લો. નાક વડે શ્વાસ લઈને મોં દ્વારા શ્વાસ બહાર કાઢવાની આ શ્વસન પ્રક્રિયાથી સ્નાયુઓનો વપરાશ વધશે. શરીર અને મનને આરામ મળશે.
શરીર અને મન બંનેનો થાક ઊતરે તેવા મેડિટેશન ક્લાસ કરો, પરંતુ જો તમને રોજની ટેવ ન હોય અને એકાએક તમે મગજમાં ધ્યાન કેન્દ્રીત કરવાનો પ્રયાસ કરશો, તો માનસિક તણાવ સર્જાશે અથવા વધશે.
તમે સૂઈ જાઓ અને તમારા શ્વાસને ધીમો કરીને સાંભળો. શ્વાસોચ્છવાસ પર ફોક્સ કરો અથવા જો તમે ફક્ત કોઈ સંગીત સાંભળી રહ્યા છો, તો તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરો. તમારું મન અન્ય અવાજ તરફ લઈ જશે, તમને અવરોધશે - પરંતુ તમારા શ્વાસ પર પાછા આવવાનું ચાલુ રાખો.
ઘડિયાળ તરફ વારંવાર જોશો તો ઊંઘ નહીં જ આવે, મનને કાબૂમાં કરો. તમને લાગશે સમય નથી જઈ રહ્યો, તેથી વધુ બેચેન બનશો અને પોતાને દોષ આપશો. તેથી સમય તપાસતા રહેશો નહીં.
ઊંઘતા પહેલાં દારૂ નહીં
જો તમે સૂતા પહેલા આલ્કોહોલ પીતા હો તો લગભગ ચાર કલાકમાં તે એલ્ડીહાઇડમાં ફેરવાય છે, જે અડધી ઊંઘમાંથી તમને ઉઠાડે છે અને બેચેન બનાવશે. આ સિવાય દારૂનું સેવન એન્ટિ-ડાયરેટિક હોર્મોન નામના હોર્મોનને અટકાવે છે, પરિણામે પેશાબમાં વધારો થાય છે અને અડધી રાત્રે તમારી ઊંઘ ઊડે છે.
વાદળી પ્રકાશથી દૂર રહો
તમારી ચિંતાઓને દૂર કરવા માટે કમ્પ્યૂટર, સ્માર્ટફોન અથવા ટેબ્લેટનો ઉપયોગ કરશો નહીં તેમ નિષ્ણાતો ચેતવણી આપે છે. હકીકતમાં નિયમ એ છે કે પલંગમાં સૂવાના એક કલાક પહેલા જ કમ્પ્યૂટર, સેલ ફોન છોડો. તમને વાંચતી વખતે ઊંઘ આવતી હોય તો વાંચી પણ શકો છો, પરંતુ થોડા ઝાંખા પ્રકાશમાં અને ઇ બુકમાં નહીં.