દેશમાં કોરોના વાયરસનો કહેર ભયંકર રીતે વરસ્યો હતો. ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા તો ઘણા લોકો ખૂબ કમજોર થઇ ગયા હતા તેવામાં એક નવી સ્ટડી સામે આવી છે.
કોરોના મટ્યા બાદ આ રોગ થવાનો ખતરો?
રિકવર થયા બાદ ધ્યાન રાખવુ જરૂરી છે
એક સ્ટડી પ્રમાણે આવ્યા ચિંતાજનક સમાચાર
આ સ્ટડી પ્રમાણે કોરોના વાયરસની ત્રીજી લહેરનો ખચતરો હજુ પણ રહેલો છે. તે વચ્ચે ચોંકાવનારી માહીતી સામે આવી છે કે જે લોકો પણ કોરોનાથી સાજા થઇ રહ્યા છે તે લોકોને ડાયબિટીસ થઇ જવાની આશંકા છે. આ જ આશંકાઓને દૂર કરવા માટે દિલ્હીના એક ડૉક્ટર સાથે વાત કરવામાં આવી તો તેમણે પોતાની સલાહ આપી હતી.
કેમ વધી જાય છે મધુપ્રમેહનો ખતરો
કોઇ પણ સંક્રમણ કે વાયરલ તાવ બ્લડ શુગરના સ્તરને વધારી દે છે. મૂળરૂપથી આ તે તંત્રનું પરિણામ છે. જેને શરીર સંક્રમણથી લડવા માટે તૈયાર કરે છે. કેટલાક કેસમાં ઇલાજ માટે આપવામાં આવતી દવાઓ બ્લડ શુગરને વધારી દે છે અને તેના કારણે ડાયબિટીસનો ખતરો વધી જાય છે.
મધુપ્રમેહના દર્દીઓનો કોરોના ઇલાજ મુશ્કેલ?
મોટાભાગના કેસમાં ઓછા ડાયબિટીસના દર્દીઓના ઇલાજમાં કોઇ પ્રોબ્લેમ થતી નથી પરંતુ જે વ્યક્તિઓનું ડાયબિટીસ કંટ્રોલમાં રહેતુ નથી તે લોકોને હ્રદયરોગ જેવી સમસ્યા થવાની સંભાવનાઓ રહે છે. આ પ્રકારના વ્યક્તિઓ માટે કોરોના ગંભીર રોગ છે.
કોરોના મધુપ્રમેહનું કારણ બની શકે ?
મોટાભાગના લોકોમાં મધુપ્રમેહ એક એસિમ્પ્ટોમેટિક બિમારી છે. આવા લોકની એક સંખ્યા હોઇ શકે જેમને કોરોના સંક્રમણ થયા પહેલા પોતાને ડાયબિટીસ છે તેની જાણકારી નથી હોતી. આ વિષય પર ઘણી સ્ટડી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે પહેલા તમારે ડાયબિટીસની તપાસ કરાવી લેવી જોઇએ.
કોરોનાનો પેશન્ટ ડાયબિટીસનો શિકાર થઇ શકે
કોરોનાથી સંક્રમિત થયેલો પેશન્ટ ડાયબિટીસનો શિકાર થઇ શકે કે નહી તેના પર હજુ ચર્ચા ચાલી રહી છે. સૈદ્ધાંતિકરૂપથી કોરોના પણ મધુપ્રમેહનું કારણ બની શકે છે.