પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીએ જળ સીમામાં આંતક મચાવવાનું શરૂ કર્યુ છે. છેલ્લા એક માસથી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ.વધુ 10 બોટ, 60 માછીમારોને બનાવ્યા બંધક
ગુજરાતના માછીમારો પાકિસ્તાનની જાળમાં
વધુ 60 જેટલા માછીમારોનું કરાયું અપહરણ
પોરબંદર પાસેની સમુદ્રી સીમામાં પાક.પ્રપંચ
પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીએ જળ સીમામાં આંતક મચાવવાનું શરૂ કર્યુ છે. છેલ્લા એક માસથી ભારતીય બોટ અને માછીમારોનાં અપહરણ કરી જવામાં આવી છે. ગઇકાલે મંગળવારે પાક. મરીને બંદુકનાં નાળચે કુલ 10 બોટ, 60 માછીમારોનું અપહરણ ને બંધક બનાવ્યા હોવાનાં સમાચાર મળી આવ્યાં છે
પાકિસ્તાન મરીન સિકયુરીટી દ્વારા છેલ્લા એક માસથી અપહરણનો સિલસીલો શરૂ કરવામાં આવ્યો છે. ગઇકાલને મંગળવારે વહેલી સવારે ભારતીય જળસીમા નજીક પાક. મરીનની શીપ ધસી આવી હતી. જેને પગલે સૌરાષ્ટ્રની બોટોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પાક. મરીને બંદુકનાં નાળચે કુલ 10 જેટલી બોટ અને 60 જેટલા માછીમારોને બંધક બનાવ્યા હોવાનાં સમાચાર મળી આવ્યાં છે. જે બોટ બંધક બનાવવામાં આવી છે. તેમાં ઓખાની પાંચ બોટ, પોરબંદર અને માંગરોળની બે મળી કુલ 10 બોટ અને 60 માછીમારો બંધક બનાવ્યાં છે. તેમને હજુ સુધી મુકત કરવામાં આવ્યાં નથી. થોડા દિવસે પૂર્વે પણ બે બોટ અને 12 માછીમારોનાં અપહરણ કરી જવામાં આવ્યાં હતાં.
कल रात पाकिस्तान ने #गुजरात के 10 बोट्स ओर 60 मछुआरों को पकड़ा है।पिछले सप्ताह गुजरात मे तीन घटनाओं में पाकिस्तान की मरीन सिक्यूरिटी 23 #मछुआरे सहित 3 फिशिंग नाव को उठाकर ले गई हैं। 643 मछुआरे & बहुत सारी फिशिंग नाव पाकिस्तान के कब्जे में हैं, उनको जल्द से जल्द वापस लाया जाए । pic.twitter.com/y2cupqjH3I
હાલ પાકિસ્તાનનાં કબજામાં 1100થી પણ વધુ બોટ અને 600 થી પણ વધુ માછીમારો છે ત્યારે ફરી પાક. મરીને પોતાના લખણ ઝળકાવવાનું શરૂ કર્યુ છે. અવાર-નવાર ભારતીય જળસીમા નજીકથી બોટ અને માછીમારોનાં અપહરણ કરી જવામાં આવે છે. તેની મુકિત માટેનાં પ્રયાસો સુરક્ષા એજન્સી કરી રહી હોવાનું પણ જાણવા મળી રહયું છે. પાકિસ્તાન દ્વારા ફરી અપહરણનો સિલસીલો શરૂ થતાં પોરબંદર સહિત ગુજરાતભરનાં માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. અને આ સિલસીલો બંધ કરાવે તેવી માંગ કરી છે.