સામાન્ય શરદી-ખાંસી કોરોના બીમારીથી બચાવી શકે છે તેવો દાવો એક નવા સ્ટડીમાં કરાયો છે.
એક લેટેસ્ટ સ્ટડીમાં નવો દાવો
શરદી-ખાંસી હોય તો કોરોના વાયરસ બેઅસર થઈ શકે છે
સામાન્ય શરદી ખાસી કોરોના સામે ઈમ્યુનિટી પેદા કરે છે
કોરોના વાયરસ તથા તેના ચેપથી ફેલાતી કોરોના બીમારી અંગે સતત રિસર્ચ થઈ રહ્યાં છે તથા નવા નવા તથ્યો પણ સામે આવી રહ્યાં છે. વૈજ્ઞાનિકો અને મેડિકલ નિષ્ણાંતો પણ રિસર્ચ રિપોર્ટને આધારે નવા નવા દાવા કરી રહ્યાં છે. હવે એવો દાવો કરાયો છે કે જો તમે સામાન્ય શરદી-ખાંસી ફેલાવનાર વાયરસના સંપર્કમાં આવ્યાં તો તે તમને કોરોના વાયરસથી બચાવી લેશે.
રાઈનોવાયરસ કેવી રીતે સુરક્ષા આપે છે
ચાલુ અઠવાડિયામાં જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ મેડિસિનમાં પ્રસિદ્ધ થયેલા રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે શ્વસનતંત્રનો સામાન્ય વાયરસ જેને બીજી ભાષામા રાઈનોવાયરસ કહેવાય છે તરત બીજા વાયરસોની સામે સુરક્ષાની પ્રક્રિયા શરુ કરી દે છે.
ઈન્ટરફેરોનથી ઉત્પ્રેતિ જીન (Interferon-Stimulated Genes) કરે છે. રાઈનોવાયરસથી સંક્રમિત કોશો પ્રતિક્રિયા આપતા પ્રોટીનના જૂથને રિલિઝ કરે છે જેને ઈન્ટરફેરોન કહેવાય છે. આ પ્રોટીન જૂથ સંક્રમિત કોશને બીજા વાયરસની સામે સુરક્ષા આપે છે.
કોરોનાથી બચાવ માટે આ તરકીબ અપનાવી શકાય
ઈન્ટરફેરોન ઉત્પ્રેરિત જીન પ્રતિરક્ષા તંત્રમાં શરુઆતના અણુઓને પ્રેરિત કરે છે જેનાથી શરદી-ખાંસીથી અસરગ્રસ્ત કોશોમાં કોરોના વાયરસની વૃદ્ધિ અટકી જાય છે. એક વાર આ સુરક્ષા તંત્ર બની જાય તે પછી કોરોના વાયરસ હુમલો કરે તો પણ તે નકામો જાય છે. અમેરિકા સ્થિત યેલ સ્કૂલ ઓફ મેડિસીનના પ્રોફેસર એલન ફોક્સમેને જણાવ્યું કે કોરોનાથી બચાવ માટે આ તરકીબ અપનાવી શકાય છે. તેની એક રીતે તો એવી હોઈ શકે કે દર્દીની ઈન્ટરફેરોન દ્વારા સારવાર કરવામાં આવે જે દવા તરીકે પણ ઉપલબ્ધ છે. પરંતુ આ બધું ટાઈમિંગ પર આધારિત હોય છે.