બનાસકાંઠા પોલીસને શુક્રવારે બપોરે અરજન્ટ મેસેજ મળ્યો કે અંબાજી મંદિરમાં 2 આતંકવાદી ઘુસ્યા છે. જેને લઇ અંબાજી મંદિર સહિત નાવિસ્તારમાં ચકચાર મચી હતી. ત્યારે 7 નંબર ગેટથી પોલીસનો મોટો કાફલો અંબાજી દોડી આવ્યો હતો અને મંદિરમાંથી માઇભક્તોને બહાર કાઢ્યા હતા. અનેં પોલીસની વિવિધ ટીમો અંબાજી મંદિરમાં પ્રવેશી એક કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં 2 આતંકવાદી સુધી પહોંચી ગયા હતા. જ્યાં ગણપતિ મંદિર પાસે બૉમ્બ ફૂટતા લોકોમાં અફડાતફડી મચી હતી અને ત્યારબાદ એક આતંકવાદીને પોલીસ દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો અને બીજા આતંકવાદીને જીવતો પકડી પાડવામાં આવ્યો હતો. આ બનાવ બાદ આખું મંદિર હાઇએલર્ટ પર જોવા મળ્યું હતું અને કોઇ માઇભક્તને કે મંદિરના સ્ટાફને નુકશાન થયું નહતું. બાદમાં પોલીસ અધિકારીએ મોકડ્રિલ હોવાનું જણાવતાં લોકોએ હાશકારો અનુભવ્યો।