નખ રગડવાથી તેની સીધી અસર સ્કેલ્પ પર પડે છે. જેથી બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે.
નખની નસો ખોપરી સાથે જોડાયેલ હોય છે
નખ રગડવાથી સીધી સ્કેલ્પ પર અસર પડે છે
જેથી બ્લડ સર્ક્યુલેશન ઝડપી બને છે
તમે ઘણા લોકોને જોયા હશે કે તેઓ ખાલી સમયમાં પોતાના નખને રગડતા રહેતા હોય છે જેને વાળયામ પણ કહેવામાં આવે છે, જેનો શાબ્દિક અર્થ છે 'વાળોનો વ્યાયામ'. આને યોગ તથા રિલેક્સોલોજી બંને રૂપમાં માન્યતા પ્રાપ્ત છે. આ યોગને અમુક આશ્ચર્યજનક લાભ માટે ઓળખવામાં આવે છે. આ યોગ કરવાથી સ્વાભાવિક રૂપથી તમારા વાળની ગુણવત્તામાં સુધાર આવે છે. ઘણા લોકો આ વાત પર ભરોસો નહી કરે પરંતુ આજે અમે તમને જણાવશું કે શું આ પ્રકારે ખરેખર વાળ ખરવાનું ઘટી જાય છે.
શું છે હકીકત?
અધ્યયનો અનુસાર, હાથના નખને રગડવાથી વાળ પર સારો પ્રભાવ પડે છે, કેમકે આપણા નખની નસો ખોપરી સાથે જોડાયેલ હોય છે. નખના રગડવાથી તેની સીધી અસર સ્કેલ્પ પર પડે છે. જેથી બ્લડ સર્ક્યુલેશનથી વાળ ફરી વધવાનું શરુ થઇ જાય છે. નખને રગડવાથી ડાઈહાઈડ્રોટેસ્ટોસ્ટેરોન હાર્મોનના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે, જે વાળના વધુ સારા વિકાસને ફરી એક્ટીવ કરે છે. સાથે જ નખ રગડવાથી વાળનું સફેદ થવું, વાળનું ખરવું, ટાલ પડવી તથા અનિંદ્રા જેવી સમસ્યાઓને પણ નિયંત્રિત કરી શકાય છે. આ સાથે જ વાળ મજબૂત બને છે તથા નેચરલી વાળમાં ગ્રોથ થાય છે.
કેવી રીતે કરશો નખ રગડવાનો અભ્યાસ?
હાથોને છાતી પાસે રાખો તથા આંગળીઓને અંદરની તરફ લાવો તથા એકબીજા સાથે રગડો. જેટલું બની શકે આ લાંબા સમય સુધી કરતા રહો. તમે રોજ 5 થી 10 મિનિટ સુધી આ કરો છો તો આ ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે.
આ લોકો ન કરે અભ્યાસ
જો તમે ઉચ્ચ રક્તચાપ તથા હાઈપરટેન્શનથી પીડિત છો, તો આ કરવું તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે, કેમકે આ રક્તચાપને વધારે છે.
જો તમારી સ્કીન તથા નખમાં સંક્રમણ છે, તો આ કરવું હાનિકારક સાબિત થઇ શકે છે.
ગર્ભવતી મહિલાઓએ નખ રગડવાથી બચવું.
જો તમને એપેંડીસાઈટીસ તથા ઇન્જીયોગ્રાફી જેવી સર્જીકલ સમસ્યાઓ છે, તો પણ આ ન કરવું જોઈએ.