દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે 12 વર્ષથી ઓછી ઉંમરવાળી છોકરીઓ સાથે બળાત્કાર કરવાનાં ગુનામાં દોષીને મોતની સજા આપવાનો આદેશ લાવતા પહેલા શું તે મામલે વૈજ્ઞાનિક આકલન કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટે એક જૂની જનહિત અરજી પર સુનાવણી કરતા આ સવાલ કર્યો હતો.
જનહિત અરજીમાં 2013ની અપરાધિક વિધિ (સંસોધન) કાયદાને ચેલેન્જ આપવામાં આવી છે. અપરાધિક વિધિ (સંશોધન) કાયદામાં બળાત્કારનાં દોષીને ન્યૂનતમ સાત વર્ષની સજા અને આનાંથી પણ ઓછી સજા આપવાની કોર્ટની વિવેકાધીન શક્તિની જોગવાઈ ખતમ કરી નાખવામાં આવી હતી.
કાર્યવાહક ચીફ જસ્ટિસ અને જસ્ટિસ સી હરિશંકરની પીઠે સરકારને પૂછ્યું "શું આપે કોઇ અધ્યયન કે કોઇ વૈજ્ઞાનિક આકલન કર્યું કે મોતની સજા બળાત્કારની ઘટનાઓ રોકવામાં અસરકારક સાબિત થશે? શું આપે આનાં નિર્ણય એટલે કે પરિણામ વિશે ક્યારેય વિચાર કર્યો છે કે જે પીડિતાને ભોગવવું પડશે. બળાત્કાર અને હત્યાની સજા એક જેવી થઇ ગયા પર કેટલાં અપરાધીઓ પીડિતોને જીવતા મૂકશે?
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કશ્મીરનાં કઠુઆ ગુજરાત અને સુરત અને ઉત્તરપ્રદેશનાં ઉન્નાવમાં સગીર વયની છોકરીઓ પર કરવામાં આવેલ બળાત્કારની ઘટનાએ દેશભરમાં એક જાતનો આક્રોશ ફેલાવી દીધો હતો જેને લઇ કેન્દ્રએ અધ્યાદેશને મંજૂરી આપી દીધી.