મંકીપોકસને લઈને લોકોમાં સૌથી મોટી ગેરસમજ એ છે કે આ બીમારી ફક્ત પુરુષને જ વધુ થાય છે, મહિલાઓને આનાથી ઓછો ખતરો છે.
મંકીપોક્સનો પહેલો કેસ 14 જૂલાઈના રોજ કેરળમાં સામે આવ્યો હતો
મંકીપોકસ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે
સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી ગયા તો તમે પણ મંકીપોકસનો શિકાર બની શકો છો
મંકીપોક્સ ધીરે ધીરે ફેલાતો જાય છે. દેશમાં મંકીપોક્સનો પહેલો કેસ 14 જૂલાઈના રોજ કેરળમાં સામે આવ્યો હતો. એ પછી અત્યાર સુધી કુલ કેસ સામે આવી ગયા છે. કેરળમાં 22 વર્ષ એક યુવકની મંકીપોકસને કારણે મૃત્યુ થઈ ગઈ છે. જો કે હવે આ બીમારી વધુ ફેલાવા લાગી છે તેના વિશે થોડી વાતો જાણી લેવી જોઈએ. મંકીપોકસને લઈને લોકોમાં ઘણી ગેરસમજ છે જેને દૂર કરવી ખૂબ જરૂરી છે.
મંકીપોકસને લઈને લોકોમાં સૌથી મોટી ગેરસમજ એ છે કે આ બીમારી ફક્ત પુરુષને જ વધુ થાય છે, મહિલાઓને આનાથી ઓછો ખતરો છે. પણ તમને જણાવી દઇએ કે મંકીપોકસ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. પુરુષ કે મહિલા હોવાથી કોઈ ફરક નથી પડતો. જો કે દિલ્હીમાં એક મહિલા પણ મંકીપોકસથી સંક્રમિત મળી આવી છે.
જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ ઘેબ્રેયસસસે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે મંકીપોકસનો પહેલો કેસ મે માં સામે આવ્યો હતો અને એ પછી તેના 98% કેસ ગે, બાયસેક્સ્યુઅલ અને પુરુષ સાથે સંબંધ ધરાવતા પુરુષમાં જોવા મળ્યા છે.
દરેક લોકોને મંકીપોકસનો ખતરો
- દિલ્હીમાં 3 ઓગસ્ટના દિવસે 31 વર્ષની મહિલા મંકીપોકસથી સંક્રમિત મળી હતી જે નાઇજેરિયાની રહેવાસી છે. એ પહેલી મહિલા છે જે મંકીપોકસની ચપેટમાં આવી છે. આનાથી એ ગેરસમજણ દૂર થાય છે કે મંકીપોકસ ફક્ત પુરુષોને જ સંક્રમિત કરે છે.
- હાલ દુનિયા કોરોના જએવી મહામારીનો સામનો કરી રહી છે એવામાં મંકીપોકસે દસ્તક આપી દીધી છે. બંને જ સંક્રમિત બીમારી છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જે લોકો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં વારંવાર આવે તો તેને આ બીમારી થઈ શકે છે.
- ગે અને બાઈસેક્યુઅલ લોકોને આનો ખતરો વધુ હોય છે કારણ કે તે લોકોના ઘણા પાર્ટનર હોય છે અને ઘણા લોકો સાથે યૌન સંબંધ બનાવતા હોય છે. જો તમે કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી ગયા તો તમે પણ મંકીપોકસનો શિકાર બની શકો છો. ભલે પછી તમે પુરુષ હોય કે મહિલા..
- આ સિવાય સંક્રમિત વ્યક્તિના કપડાં, ઓશિકા અને ચાદરને ઉપયોગ કરવાથી પણ આ વાયરસ ફેલાય છે. સાથે જ સંક્રમિત વ્યક્તિના ઉપયોગમાં કરાયેલ કપડાં બીજા લોકોના કપડાં સાથે ધોવાથી પણ આ વાયરસ ફેલાય છે.
શું છે મંકીપોકસના લક્ષણો?
મંકીપોકસના શરૂઆતી દિવસોમાં વ્યક્તિને તાવ આવે છે. તેના પછી ધીરે ધીરે શરીર પર લાલ ચાઠા અને ફોલ્લીઓ થવા લાગે છે. સતીહએ જ શરીરમાં દુખાવો, થાક, ગળામાં ખરાશ જેવા લક્ષણો જોવા મળે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. WHO અનુસાર મંકીપોકસના લક્ષણો 5 દિવસથી શરૂ કરીને 21 દિવસો સુધીમાં સામે આવે છે. તેના શરૂઆતી લક્ષણો તાવ જેવા હોય છે પણ ધીરે ધીરે શરીર પર લાલ ચાઠા અને ફોલ્લીઓ થવા લાગે છે. સાથે જ ચહેરા પર પણ ફોલ્લીઓ થવા લાગે છે.
આ વાયરસથી કેવી રીતે બચી શકાય ?
- જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેના સંપર્કમાં ન આવો. સાથે જ તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ કોઈ પણ વસ્તુ ન વાપરવી જોઈએ. આ ઉપરાંત આ પ્રકારના કોઈ પણ કેસની જાણકારી મળે તો તરત જ સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરો.
- જો કોઈ મંકીપોકસથી સંક્રમિત થયું છે તો ખુદને આઇસોલેટ કરી દેવું જોઈએ. તેનો કોઈ ઈલાજ નથી પણ આ આપમેળે 2-4 અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. લક્ષણ દેખાતા સૌપ્રથમ ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.
કેવી રીતે ફેલાય છે મંકીપોકસ?
એક્સપર્ટનું કહેવું છે કે મંકીપોકસ સંક્રમિત વ્યક્તિની નજીક જવાથી આ બીમારી ફેલાય છે. આ વાઇરસ દર્દીના શરીર પર કોઈ ઘા પરથી નીકળીને આંખ, નાક અને મોઢા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે. સાથે જ આ વાઇરસ સંક્રમિત વાંદરા, કુતરા અને ખિસકોલી જેવા જાનવરોના સંપર્કમાં આવવાને કારણે પણ ફેલાય છે. એક સંક્રમિત વ્યક્તિ પાસેથી ફક્ત બીજા એક જ વ્યક્તિને આ સંક્રમણ લાગી શકે છે. મંકીપોકસથી સંક્રમિત વ્યક્તિને 21 દિવસ સુધી આઇસોલેટ કરી દેવાથી આ વાઇરસનું સંક્રમણ અટકાવી શકાય છે.