આપ નેતા અરવિંદ કેજરીવાલ રવિવારે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે અન્ય 6 મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથ સમારોહમાં PM મોદી સહિત અલગ અલગ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શપથ સમારોહમાં શિક્ષકોને આમંત્રણ આપવાના કારણે વિપક્ષે વિવાદ સર્જ્યો છે. તેમનું કહેવું છે કે ભીડ એકઠી કરવા માટે શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે.
અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ CM પદના શપથ લેશે
ગત સરકારના 6 મંત્રીઓ પણ મંત્રીપદના લેશે શપથ
શપથ સમારોહમાં શિક્ષકોને આમંત્રણ અપાતા વિવાદ
આ મંત્રીઓ લેશે શપથ
મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન મંત્રીપદે યથાવત રહેશે. આ સાથે જ ગોપાલ રાય, કૈલાશ ગહલોત મંત્રીપદે યથાવત રહેશે. રાજેન્દ્ર ગૌતમ પણ કેજરીવાલ મંત્રીમંડળમાં શપથ લેશે.
શિક્ષણ નિયામકશ્રીએ શપથ ગ્રહણ આમંત્રણ
પરિપત્રમાં જણાવાયું છે કે તમામ શાળાઓએ 20 નિયમિત અને અતિથિ શિક્ષકોને સાથે સાથે આચાર્યોને શપથ પર મોકલવા જોઈએ. શિક્ષણ નિયામકશ્રીએ શપથ ગ્રહણ આમંત્રણમાં જણાવ્યું છે કે, 20 શિક્ષકો સાથેના તમામ આચાર્યોની સૂચિ 15 ફેબ્રુઆરી સુધીમાં નિયામક કચેરીને મોકલો અને તેની એક નકલ પણ પ્રવેશ દ્વાર પર હાજર સંબંધિત અધિકારીને મોકલો. દરેકને આઈડી કાર્ડ લાવવા કહેવામાં આવ્યું છે. તેઓએ 16 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે શપથ ગ્રહણ સમારોહમાં પહોંચવું પડશે.
વિપક્ષે આ વાતને લઈને સર્જ્યો વિવાદ
પરિપત્ર જાહેર થતાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે, આમ આદમી પાર્ટી કે જેણે મફત યોજનાઓની જાહેરાત કરીને ચૂંટણી જીતી હતી, તેમાં ઘણા ધારાસભ્યો છે, પરંતુ જાહેર સમર્થન નથી. શપથ ગ્રહણમાં ભાગ ન લેનારા લોકોના ડરથી તેણે 30,000 શિક્ષકોને ફરજીયાત હાજર રહેવા જણાવ્યું છે.
શિક્ષણ વિભાગે કહ્યું સન્માનમાં આમંત્રણ અપાયું
આ સાથે જ કોંગ્રેસે આમ આદમી પાર્ટીને પણ ખેંચી લીધી છે. પાર્ટીના પ્રવક્તા મુકેશ શર્માએ ટ્વીટ કર્યું હતું કે, સરકારના આદેશથી સરકારી શાળાના શિક્ષકોને કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા જણાવ્યું છે. અહીં એ વાત સ્પષ્ટ થાય છે કે શપથ લેવા માટે સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, ટીકાની વચ્ચે, શિક્ષણ નિયામકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આપ સરકારના શિક્ષણ મોડેલમાં તેમના યોગદાનને માન આપવા માટે તેમને બોલાવવામાં આવી રહ્યા છે. જોકે, તેમણે જણાવ્યું ન હતું કે હાજરી ફરજિયાત છે કે સ્વૈચ્છિક છે.