ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના કલ્જીખાલ બ્લોક સ્થિત સાંગુડા ગામના 83 વર્ષીય ખેડૂત વિદ્યાદત્ત શર્મા પર બનેલી લઘુ ફિલ્મ 'મોતીબાગ' ઓસ્કાર માટે નૉમિનેટ કરવામાં આવી છે. આ પહેલા આ ફિલ્મને કેરલમાં આયોજિત આંતરરાષ્ટ્રીય શોર્ટ ફિલ્મને સમારોહમાં પહેલો પુરસ્કાર મળી ચૂક્યો છે.
ખેડૂતના સંઘર્ષ યાત્રા પર બનેલી ફિલ્મ ઓસ્કારમાં નોમિનેટ
ઉત્તરાખંડના ખેડૂત વિદ્યાદત્તના જીવન પર બનાવવામાં આવી ડોક્યુમેન્ટ્રી
અમેરિકાના લૉસ એન્જેલિસ માં કરવામાં આવશે આયોજન:
ભારતમાંથી ઓસ્કાર પુરસ્કાર માટે 2 પંસદ કરવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીમાંથી એક મોતી બાગ છે, જેનું નિર્માણ અને નિર્દેશક ફિલ્મકાર નિર્મલ ચંદ્ર ડંડરિયાલે કર્યુ છે. ફિલ્મની પટકથા ખેડૂત, બાગવાની, મધમાખી પાલન, જળ સંરક્ષણ, રોજગાર અને પલાયન સહિત અન્ય મુદ્દાઓ પર આધારિત છે. ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'મોતીબાગ' ને દેશના ખૂણા-ખૂણામાં વસેલા લોક જીવનને બતાવવામાં આવ્યુ છે. 59 મિનિટની આ ફિલ્મ 'મોતીબાગ'ને અમેરિકાના લોસ એન્જેલિસમાં પ્રદર્શિત કરવામાં આવશે.
ફિલ્મના નિર્મતાએ કરી વાત:
આ સંબંધમાં ફિલ્મના નિર્માતા નિર્મલ ચંદ્ર ડંડરિયાલે કહ્યુ કે, એક ખેડૂત છે જેની જિંદગી પોતાનામાં પ્રેરણાદાયી છે. એક સામાન્ય વ્યકિત પોતાના સ્તર પર સમાજમાં બદલાવ લાવે છે, પરંતુ તેણે પ્રંશસા નથી મળી રહી જેથી મેં વિચાર્યુ કે આ વ્યકિત પર વાર્તા ચોક્કસથી બનવી જોઇએ.
ફિલ્મ બનાવવા માટે કર્યો ધન્યવાદ:
સ્થાયી નિવાસી મહેશ ડોભાલે કહ્યુ કે, ''આ ડોક્યુમેન્ટ્રીમાં પલાયનને કેવી રીતે રોકવુ, જળ સંરક્ષણ, આર્થિક રીતે કઇ રીતે મજબૂત થવુ વગેરે વિષય પર ફિલ્મના નિર્માતા નિર્મલ ચંદ્ર ડંડરિયાલને જે રીતે રજૂ કર્યુ છે, તેના માટે ધન્યવાદ.''
ઉત્તરાખંડના CM એ કર્યુ ટ્વીટ:
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કહ્યુ કે, ''અમારો પારંપરિક વ્યવસાય ખેતી અને પશુપાલન રહ્યો છે અને આ ક્ષેત્રોમાં રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ સંચાલિત કરવામાં આવી છે.યુવાન ખેડૂતો આ યોજનાઓનો લાભ લઇને ખેતી તથા ઉદ્યોગને આર્થિક રીતે સદ્ઘર થાય છે તથા આ સિવાયપલાયન રોકવામાં મહત્વની ભૂમિકા નીભાવવા માટે અપીલ કરી હતી.''
यह फिल्म आज की पीढ़ी को पहाड़ में रहकर अपनी माटी की सेवा करने की प्रेरणा देती है। पलायन रोकने के प्रयासों के लिए यह फिल्म एक उत्तम उदाहरण साबित होगी।
यह अत्यंत गर्व का विषय है कि पौड़ी के एक किसान विद्यादत्त जी के जीवन संघर्ष पर बनी डॉक्युमेंट्री फिल्म #मोतीबाग का चयन ऑस्कर अवार्ड के लिए हुआ है। मैं फिल्म के निर्देशक निर्मल चंद्र डंडरियाल को इस सुधी प्रयास के लिए हार्दिक बधाई व शुभकामनाएं देता हूं। pic.twitter.com/d9nJ5Xqht3
CMએ ટ્વીટ કર્યુ કે, ''આ એક ગર્વનો વિષય છે કે, પૌડીના એક ખેડૂત વિદ્યાદત્તજીના જીવન સંઘર્સ પર બનેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ મોતીબાગની પસંદગી ઓસ્કર એવોર્ડમાં થઇ છે. હું ફિલ્મના ડિરેક્ટરને શુભકામનાઓ પાઠવું છું.''