ડો.મુકેશ મહેશ્વરીએ નિવેદન આપતા કહ્યું, 13 રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે, ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં સાવધાની રાખવી જરૂરી છે
કોરોનાની ત્રીજી લહેરનો ખતરો
13 રાજ્યોમાં વધી રહ્યા છે કેસ
નિયમોનું પાલન કરવું જરૂરી
દેશના 13 રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો દિવસે-દિવસે વધતો જાય છે. સંભવિત ત્રીજી લહેરને લઈને ડો.મુકેશ મહેશ્વરીએ નિવેદન આપતા કહ્યું, 13 રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં સાવધાની રાખવી જરૂરી છે. પર્યટન, ધાર્મિક સ્થળોએ વધતી ભીડ ગુજરાત માટે ચિંતાજનક બની શકે છે. ડેલ્ટા વેરિઅન્ટથી ચેપ લાગવાની ક્ષમતા 60થી 80 ટકા વધારે છે. હાલ દેશમાં કેરાલા, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે. આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, બંગાળ, ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઝડપથી કોરોના વધી રહ્યો છે.
ગુજરાતમાં કપ્પા વાયરસના બે પોઝિટીવ કેસ
ગુજરાતમાં કમ્પા વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ગોધરા પઢીયાર ગામના દર્દીનું સારવાર દરમિયાન મોત થતા ચકચાર મચી ગયો છે. કમ્પા વાયરસથી પીડાતા આ દર્દીની અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મહત્વનું છે કે કમ્પા વાયરસના કેસ નોંધાયા બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગની ટીમે તકેદારીના ભાગ રૂપે પઢીયાર ગામનો સર્વે પણ કર્યો હતો. આ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા 22 વ્યક્તિઓના અને બીજા 36 લોકોના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે. જ્યાં રેપીડ ટેસ્ટમાં એક પણ વ્યક્તિ પોઝિટીવ નથી આવ્યો.