પશ્ચિમ બંગાળના હડતાલ પર ઉતરેલા ડોક્ટરોની માગ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીઓ સ્વીકારી લીધી છે. મમતા બેનર્જીએ સરકારી દવાખાનાઓમાં ફરિયાદ નિવારણ સેલ બનાવવાની ડોક્ટરોની માંગણીનો સ્વીકારી છે.
West Bengal Chief Minister Mamata Banerjee has accepted the proposal of doctors to set up Grievance Redressal Cell in Government Hospitals. https://t.co/h3mGR0s5cB
આ સાથે જ મમતા બેનર્જીઓ કોલકત્તાના પોલીસ કમિશ્નર અનુજ શર્માને તમામ દવાખાનામાં એક નોડલ પોલીસ અધિકારી ગોઠવવાની સૂચના પણ તાત્કાલિક અસરથી આપી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ તમામ મેડિકલ કોલેજના 2-2 પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી રહી છે.
સાત દિવસથી ડોક્ટરોની હડતાલ
પશ્ચિમ બંગાળના કોલકાતા મેડિકલ કોલેજમાં ડોકટરો પર થયેલા હુમલાને લઇને દેશભરના તબીબોમાં રોષ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીની અપીલ બાદ પણ ડોકટરોની હડતાળનું સમાધાન થયું નથી. પશ્ચિમ બંગાળમાં સતત છ દિવસે ડોકટરોની હડતાળ ચાલુ હતી.
17 જૂને સમગ્ર ભારતના ડોક્ટરો ઉતર્યા હતા હડતાલ પર
ઇન્ડિયન મેડીકલ એસોસિયેશને આજરોજ એક નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી 17 જૂનના રોજ સમગ્ર દેશના ડોક્ટરો હ઼ડતાલ પર ઉતરશે. ઇન્ડિયન મેડીકલ એસોસિયેશને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે દવાખાનામાં ડોક્ટરોની સુરક્ષા ઇચ્છીએ છીએ. કોલકત્તામાં મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ ખુબ જ ડરેલા છે, રસ્તાઓ પર હિંસા શરૂ થઇ ગઇ છે.
West Bengal: State Health Department bus carrying representatives of doctors scheduled to meet CM Mamata Banerjee in Nabanna, today. pic.twitter.com/vNosuVOfKa
તેમણે વધુમાં કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, સમાજ અમારો સાથ આપે અને અમે ઇચ્છીએ છીએ કે, કોલકત્તામાં થયેલ હિંસાના આરોપીઓને સજા થાય. આ સાથે જ વધુમાં કહ્યું કે, દવાખાનામાં થનારી હિંસા માટે અલગથી એક પ્રકારનો કાયદો બનાવવામાં આવે આ સાથે જ અમે જાહેરાત કરીએ છીએ કે, આગામી 17 જૂનના રોજ સમગ્ર દેશમાં ડોક્ટરોની હડતાલ રહેશે. આ હડતાલ દરમિયાન ઇમરજન્સી સેવાઓ શરૂ રાખવામાં આવશે.
ગુજરાતના ડોક્ટર પણ ઉતર્યા હડતાલ પર
પશ્ચિમ બંગાળમાં તબિબ પર થયેલા હુમલા બાદ દેશભરના ડોક્ટર્સમાં રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાતમાં આજે ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદના આશ્રમ રોડ પર ધરણા કરીને ડૉક્ટર્સ વિરોધ નોંધાવશે. ડૉક્ટર્સની હડતાળને પગલે રાજ્યભરમાં આરોગ્યસેવા પર વ્યાપક અસર થશે.
તબીબની હડતાળને લઈને નાયબ મુખ્યમંત્રી નીતન પટેલ દ્વારા ડૉક્ટરોને હડતાળ પર ન જવા માટે અપીલ પણ કરી છે. આજે ડૉક્ટર્સ હડતાળ પર ઉતરતા સિવિલમાં સેવાઓ સિવાયની તમામ મેડિકલ સેવા બંધ કરવામાં આવી છે. આજે રાજ્યભરમાં ઈમરજન્સી સેવાઓ સિવાયની તમામ મેડિકલ સેવા બંધ રાખવામાં આવી છે.