રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (NMC) બિલના વિરોધમાં ડોકટરે શુક્રવારથી અનિશ્ચિતકાળ સુધી હડતાળ પર રહેશે. મોડી રાતે હડતાળી સંગઠનની એઇમ્સમાં મળેલી બેઠક બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. ડોકટરોએ ગુરૂવારે પાડેલી હડતાળના કારણે હજારો દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
એઇમ્સની ગર્વનિંગ બોડી મીટિંગમાં યૂઆરડીએ, એફઓઆરડીએ અને એમ્સ આરડીએના અધિકારીઓની સંયુક્ત રીતે એનએમસી બિલના વિરોધને લઇને અનિશ્ચિતકાળ સુધી હડતાળ રાખવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે આ હડતાળના કારણે દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
એમ્સ, સફદરજંગ, આરએમએલ, લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ સહિત દિલ્હી સરકાર તેમજ નગર નિગમની 50થી વધારે સરકારી હોસ્પિટલના અંદાજે 20 હજાર રેજિડેન્ટ ડોકટરોએ ગુરૂવારના રોડ હડતાળ પર ઉતર્યાં હતા. તેઓએ ઓપીડી વિભાગમાં સેવા આપી નહોતી. હડતાળના કારણે અંદાજે સાત હજાર જેટલા નાના-મોટા ઓપરેશન ટળી ગયા હતા.
ભારતીય મેડિકલ એસોસિયેશન દ્વારા દેશવ્યાપી હડતાળ પાડવામાં આવી હતી. જેના કારણે દેશભરમાં 3 લાખથી વધારે ડોકટરોએ ઓપીડીમાં સેવા આપી નહોતી. ડોકટર મેડિકલ એસોસિયેશન દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલ બિલ 2019ના વિરોધમાં હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ડોકટરોએ જણાવ્યું હતું કે આ બિલ મેડિકલ ક્ષેત્ર માટે યોગ્ય નથી અને તેમાં ઘણા પ્રકારના પડકારો સામે આવશે.
Resident Doctor's Association,AIIMS:In a Governing Body Meeting of AIIMS,executives of URDA, FORDA & AIIMS RDA jointly decided to continue with indefinite strike (against National Medical Commission Bill)as decided earlier including withdrawal of residents from emergency services pic.twitter.com/8tovj0Onqd
શું છે બિલ...
ભારતમાં અત્યાર સુધી મેડિકલ શિક્ષા, મેડિકલ સંસ્થાનો અને ડોકટરોના રજિસ્ટ્રેશન સંબંધિત કામ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જવાબદારી છે. બિલ પસાર થયા બાદ હવે MBBS પાસ કર્યા બાદ પ્રેકટિસ માટે ટેસ્ટ આપવી પડશે.
જો કે અત્યાર સુધી આ ટેસ્ટ વિદેશમાંથી મેડિકલ ભણીને આવતા વિદ્યાર્થીઓ આપતા હતા. જ્યારે બિલના સેકશન 32માં 3.5 લાખ નોન મેડિકલ શખ્સને લાયસન્સ આપીને દરેક પ્રકારની દવા લખવા તેમજ ઇલાજ કરવા કાનૂની અધિકાર આપવામાં આવી રહ્યો છે, જેનો ડોકટરો વિરોધ કરી રહ્યાં છે.