સ્વાઈન ફ્લૂ અને કોવિડ-19ના લક્ષણ એક જેવા હોય છે. એવામાં નિષ્ણાંતોએ સલાહ આપી છે કે ડોક્ટરોએ ધ્યાન રાખવું જોઈએ કે....
H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે
સ્વાઈન ફ્લૂ અને કોવિડ-19ના લક્ષણ એક જેવા
H1N1ના દર્દીઓને કોવિડની સારવાન ન આપવામાં આવે
દેશમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે મુંબઈમાં ઈન્ફ્લુએન્ઝા H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે. સ્વાઈન ફ્લૂ અને કોવિડ-19ના લક્ષણ એક જેવા હોય છે. એવામાં નિષ્ણાંતોએ સલાહ આપી છે કે ડોક્ટરોને ધ્યાન રાખવું જોઈએ કે H1N1ના દર્દીઓને કોવિડની સારવાન ન આપવામાં આવે. સંક્રમણ રોગના નિષ્ણાંત ડો. વસંત નાગવેકરે હાલમાં જ શરદી, તાવ અને માથાના બે દર્દીઓની સારવાર કરી. આ દર્દી હાલમાં જ કોવિડ-19 સંક્રમિત થયો હતો. કોઈ પણ કોવિડ દર્દીના 90 દિવસની અંદર ફરી સંક્રમિત થવાના કેસ દુર્લભ છે. એવામાં ડોક્ટરે H1N1 ટેસ્ટની સલાહ આપી છે.
એક દર્દીનો H1N1 ટેસ્ટ પોઝિટિવ
એક રિપોર્ટ અનુસાર એક દર્દીનો H1N1 ટેસ્ટ પોઝિટિવ હતો. ડો. નાગવેકરે સ્વાઈન ફ્લૂના બે કેસ અને H3N2ના ત્રણ કેસ પણ જોવા મળ્યા. આ ઈન્ફ્લુએન્ઝા-એનો સબ ટાઈપ પણ છે. રિપોર્ટ અનુસાર નાગવેકરે કહ્યું કે સારવાર દરમિયાન એ ધ્યાન રાખવું જોઈએ કે હાલ કોઈ વાયરસનું પ્રસાર થઈ રહ્યું છે. એવામાં જો કોઈ દર્દી કોવિડ પ્રોટોકોલથી આપવામાં આવતી સારવારથી ઠીક નથી થઈ રહ્યું તો એક વખત અન્ય રોગ પર પણ નજર નાખવામાં આવે.
સ્વાસ્થ્ય વિભાગે પણ કરી પુષ્ટિ
બીએમસીના સ્વાસ્થ્ય વિભાગે પણ પુષ્ટિ કરી છે કે આ વર્ષે બીએમસીને H1N1ના બે કેસ સામે આવ્યા છે. પાછલા અમુક વર્ષોમાં મહારાષ્ટ્રની રાજધાનીમાં H1N1ના મામલા સામે આવ્યા છે. મુંબઈમાં ગયા વર્ષે 44 કેસ સામે આવ્યા છે. ત્યાં જ વર્ષ 2019માં H1N1ના 451 નવા કેસ આવ્યા હતા અને 5 મોત થઈ હતી.