ભાવનગરની સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. હોસ્પિટલમાં સુરક્ષાના વારંવાર પ્રશ્ર ઉઠતા આખરે ધરણા શરૂ કરાયા છે. હોસ્પિટલના રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ હડતાળ શરૂ કરી છે. દર્દીના સગાઓની ધમકી અને હુમલાની ઘટનાથી તબીબોમાં નારાજગી છે. અને વારંવારની રજૂઆત છતાં કોઇ નિર્ણય ન લેવાતા અંતે હડતાળ પર ઉતર્યા છે.
ભાવનગરના દર્દીઓમાં મ્યુકરમાઈક્રોસિસનો ફેલાવો
ભાવનગરમાં કોરોનાથી રિકવર થયેલા દર્દીમાં આડ અસર જોવા મળી રહી છે. ડાયાબિટીશ અને બ્લડ પ્રેશરના દર્દીને દવાથી સાઈડ ઈફેક્ટ થતી હોવાનું સામે આવ્યું છે. 10 જેટલા લોકોને આંખોની રોશની ગુમાવવાનો પણ વારો આવ્યો છે. અને મ્યુકોમાઈક્રોસીસના કારણે ગળા અને તાળવામાં નુકસાન થતું હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યાં ભાવનગરમાં મ્યુકોમાઈક્રોસિસના 40થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. અને આ રોગનો ભોગ બનેલા લોકોનું ફરજિયાત ઓપરેશન કરાવવું પડે છે. સાથે દરરોજ 5 ઈન્જેક્શન લેવા પડી રહ્યા છે. જે 1 ઈન્જેક્શનની કિંમત 7500 જેટલી છે.
રાજ્યમાં કોરોનાની મહામારીની વચ્ચે ઓક્સિજનની અછત સર્જાઈ છે. જેને લઈ ગઈકાલે ભાવનગર યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીએ તાત્કાલિક ધોરણે ECની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી અને વિદ્યાર્થીલક્ષી પાંચ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હતા. જેમાં યુનિવર્સિટીની જગ્યામાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
સાથે જ જરૂરિયાતમંદ કોરોનાના દર્દીઓને ફ્રીમાં દવા મળી રહે તે માટે રૂપિયા 10 લાખની ફાળવણી કરવામાં આવી છે. તેમજ કોરોનાના દર્દીઓ માટે એક કાઉન્સેલિંગ સેન્ટર પણ ઉભું કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓના માતા-પિતાના કોરોનામાં મૃત્યુ થયા હોય તેમની ફી માફીની પણ જાહેરાત કરવામાં આવી હતી.